શોધખોળ કરો

મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન

Shankaracharya Sadanand Saraswati: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે આપ્યું ચોંકાવનારું નિવેદન.

Shankaracharya Sadanand Saraswati: શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે.

શંકરાચાર્યએ જણાવ્યું કે, "મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત, તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ."

તેમણે અસલી હિંદુ અને નકલી હિંદુની વ્યાખ્યા આપતા તિરુપતિ બાલાજી મંદિરના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શંકરાચાર્યએ કહ્યું, "પ્રસાદમાં ચરબી સહિત મિલાવટના સમાચાર સામે આવતા દુઃખ થાય છે."

આ નિવેદન દ્વારા શંકરાચાર્યએ મંદિરોના સંચાલનમાં ધાર્મિક મૂલ્યોના પાલન પર ભાર મૂક્યો છે અને રાજકીય હસ્તક્ષેપની ટીકા કરી છે. તેમનું આ નિવેદન ધાર્મિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે

તિરુપતિ લાડુનો મામલો સતત વધતો જ જઈ રહ્યો છે. હવે આ મુદ્દા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ મોટું નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે સરકાર આ મામલામાં કંઈ પણ કરવાની નથી.

તેમણે કહ્યું કે આપણે હિંદુ છીએ અને આપણી એક જ ઓળખ છે તે છે પવિત્રતા. ન જાણે ક્યારથી આ પવિત્રતાને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પહેલાના સમયમાં કૂવામાં માંસ નાખી દેવામાં આવતું હતું અને કહેવામાં આવતું હતું કે હવે તમે પવિત્ર નથી રહ્યા અને હિંદુ ધર્મ છોડીને બીજા ધર્મમાં આવી જવું જોઈએ. આ પ્રકારનો પ્રયાસ પહેલા પણ થતો રહ્યો છે, પરંતુ આ મામલો ખૂબ મોટો છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે તિરુપતિ બાલાજી સાથે હજારો કરોડો લોકો જોડાયેલા છે. તે બધાની આસ્થાને ઠેસ પહોંચાડવાનું અને પવિત્રતાને ખંડિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય નહીં પરંતુ દુર્લભ મામલો છે અને તેના પર તાત્કાલિક તપાસ થવી જોઈએ. જલ્દીથી જલ્દી દોષીને સામે લાવવામાં આવે અને તેને કઠોર સજા થાય.

તેમણે કહ્યું કે ધર્માચાર્યએ પોતાનું દાયિત્વ સંભાળીને ત્યાં ઊભા થઈ જવું જોઈએ કારણ કે સરકાર કંઈ નહીં કરે. તે કોઈ ધાર્મિક પરંપરાઓ નહીં નિભાવે. સરકાર ધર્મનિરપેક્ષતાની શપથ લઈ ચૂકી છે. ધાર્મિક પરિસરમાં વ્યવસ્થા કરવાનો તેમને કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે આ અમારી માંગ છે કે આખા દેશના ધર્માચાર્ય ઊભા થાય અને જ્યાં જ્યાં પણ સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ઊભા થાય.

શંકરાચાર્યે કહ્યું કે સરકારને દાનપેટીના પૈસા ગણવા છે તો તેમને ગણવા દો. તેમને કોઈ ભૌતિક વ્યવસ્થા કરવી છે તો કરવા દો, પરંતુ ધાર્મિક વ્યવસ્થાઓ ધર્માચાર્યના નિયંત્રણ અને તેમની દેખરેખમાં જ થવી જોઈએ. શંકરાચાર્યે એક મંત્ર પણ બતાવ્યો અને કહ્યું કે અમારા શાસ્ત્રોમાં કોઈ પણ પાપ કે દોષને નષ્ટ કરવાનો ઉપાય લખ્યો છે.

એટલું જ નહીં શંકરાચાર્યે એ પણ કહી દીધું કે ગાય મતદાતા બનવાનો સંકલ્પ લો. કે આવનારા સમયમાં તેમને જ મત આપીશું જે ગાય માતાની પ્રતિષ્ઠા માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હશે. આ બે કામ કરવાથી ગાય માતા તમારા પાપને દૂર કરી દેશે.

શંકરાચાર્યે કહ્યું કે આ તો ષડયંત્ર છે, જે હિંદુઓની પવિત્રતાને ખંડિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આને સરકારો અને અધિકારીઓ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે લાખો કરોડ રૂપિયા મંદિરમાં દાન આપવામાં આવે છે, આ છતાં પણ ભક્તોને આ દિવસ જોવો પડ્યો.

તેમણે કહ્યું કે આખરે તિરુપતિ બાલાજીનું ટ્રસ્ટ પોતાની ગૌશાળા ખોલીને કેમ ઘી નથી બનાવતું. તે ઘીથી બાલાજીનો લાડુ બને અને આખા દેશમાં વિતરિત થાય. સામર્થ્ય હોવા છતાં પણ જો તમે તે કામ નથી કરતા તો આ મોટો દોષ થાય છે. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે તિરુપતિના ખજાનાને ગાય રક્ષા માટે ખોલવું પડશે.

આ પણ વાંચોઃ

BJP ના તાબૂતમાં છેલ્લો ખીલો સાબિત થશે...', સત્યપાલ મલિકના આ દાવાથી દરેક હેરાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget