શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે
આ ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોમાંની વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે
![કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે supreme courts big verdict on karnataka disqualified mlas કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/13111620/SC-07.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કર્ણાટકમાં ગેરલાયક ઠેરવવામાં આવેલા 17 ધારાસભ્યોને આજે સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી છે, સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે, 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો સ્પીકરનો નિર્ણય બરાબર છે, પણ ધારાસભ્યો ચૂંટણી લડી શકે છે.
સુ્પ્રીમ કોર્ટે કહ્યું કે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીમાં ધારાસભ્યોને પક્ષ રાખવાનો મોકો મળવો જોઇએ. ગેરલાયકને નિર્ણય બરાબર છે, પણ ધારાસભ્યોને આખા કાર્યકાળ સુધી નથી.
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, સંસદીય લોકશાહીમાં નૈતિકતા સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને પર લાગુ પડે છે. પણ પાર્ટીઓ સુવિધા પ્રમાણે સ્ટેન્ડ બદલે છે. ધારાસભ્યોના રાજીનામા આપવાથી સ્પીકરનો અધિકાર નથી છીનવાઇ જતો, પણ સ્પીકરને માત્રે એ જોવાનુ છે કે રાજીનામા સ્વેચ્છાએ આપ્યા છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણ જજોની ખંડપીઠ ન્યાયમૂર્તિ એન વી રમના, સંજીવ ખન્ના અને કૃષ્ણ મુરારીએ 25 ઓક્ટોબરે આ ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોએ કરેલી અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો.
15 બેઠકો પર 5 ડિસેમ્બરે યોજાશે પેટાચૂંટણી
ખરેખેરમાં, તત્કાલિક મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ જુલાઇમાં વિશ્વાસમતની આગળ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના આ 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દીધા હતા. કુમારસ્વામીએ વિશ્વાસમત ગુમાવ્યા બાદ રાજીનામુ આપી દીધુ હતુ. બાદમાં બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની સરકાર બની હતી.
હવે આ ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોમાંની વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ઉમેદવારો 11 નવેમ્બરથી 18 નવેમ્બરની વચ્ચે પોતાનુ નામાંકન ફોર્મ ફરી શકશે.
ગેરલાયક ઠેરવાયેલા આ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી પંચને આ 15 બેઠકો પર પેટાચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી.
![કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/13111713/Kumarswa-01-300x186.jpg)
![કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/13111706/Kumar-02-300x169.jpg)
![કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/13083208/Karnatak-05-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)