શોધખોળ કરો

જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે તિરુપતિ મંદિરમાં શ્રદ્ધા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને શાંત કરવા માટે એક સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવાનો આદેશ આપી રહી છે.

તિરુમાલા તિરુપતિ મંદિર લાડુ પ્રસાદમાં ભેળસેળ મામલે સુનાવણીમાં સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે પૂછ્યું કે જ્યારે જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ ઘી મંદિર સુધી પહોંચવાની મંજૂરી કેમ આપી. શુક્રવાર (4 ઓક્ટોબર, 2024)ના રોજ સુપ્રીમ કોર્ટ તપાસ માટે સ્વતંત્ર SIT ટીમ બનાવવાની માંગ વાળી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના આરોપો પર સવાલ ઉઠાવ્યા કે તેમને કેવી રીતે ખબર પડી કે પ્રસાદમાં ભેળસેળ થઈ છે.

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણન ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે પ્રસાદમાં ભેળસેળની તપાસ માટે પાંચ સભ્યોની ઇન્ડિપેન્ડન્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોર્ટને રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

કપિલ સિબ્બલ પૂર્વ રાજ્યસભા સાંસદ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પૂર્વ ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીની તરફથી કોર્ટમાં હાજર થયા. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે આ વાત પર ભાર મૂક્યો કે સ્વતંત્ર તપાસની જરૂર છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જે નિવેદનો આપ્યા છે, એવામાં રાજ્ય તરફથી રચાયેલી SIT ટીમ પાસેથી સ્વતંત્ર તપાસની અપેક્ષા નથી રાખી શકાતી. જો તેમણે નિવેદન ન આપ્યું હોત તો અલગ વાત હોત.

આંધ્ર પ્રદેશ સરકારની તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કપિલ સિબ્બલની દલીલ પર કહ્યું કે પ્રસાદમાં ભેળસેળને લઈને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NBBD)નો લેબ રિપોર્ટ જુલાઈમાં જ આવી ગયો હતો અને તેના આધારે જ ચંદ્રબાબુ નાયડુએ આ વાત કહી. આ પર કપિલ સિબ્બલે આંધ્ર પ્રદેશ સરકારના વકીલ મુકુલ રોહતગીને ટોકતા પૂછ્યું, 'ચંદ્રબાબુ નાયડુને કેવી રીતે ખબર કે લાડુ પ્રસાદમાં ચરબીનો ઉપયોગ થયો?' મુકુલ રોહતગીએ જવાબ આપ્યો કે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. અહીં કપિલ સિબ્બલે મુકુલ રોહતગીને ફરીથી ટોક્યા અને કહ્યું કે રિપોર્ટમાં તો વેજીટેબલ ફેટના ઉપયોગની વાત કહેવામાં આવી છે.

આ દરમિયાન જસ્ટિસ કેવી વિશ્વનાથને TTDના વકીલ સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરાને કહ્યું કે 6 અને 12 જુલાઈએ ઘીના બે કન્સાઇનમેન્ટ પહોંચ્યા અને TTD ચેરમેને ઓન રેકોર્ડ કહ્યું છે કે આ કન્સાઇનમેન્ટનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે નથી કરવામાં આવ્યો. ત્યારે એડવોકેટ લૂથરાએ કોર્ટને જણાવ્યું કે આ બંને કન્સાઇનમેન્ટ અશુદ્ધ હતા એટલે તેનો ઉપયોગ પ્રસાદમાં નથી કરવામાં આવ્યો. ત્યારે કપિલ સિબ્બલે તેમને પૂછ્યું તો પછી દૂષિત ઘીને મંદિર સુધી પહોંચવાની મંજૂરી કેમ આપવામાં આવી. આ પર એડવોકેટ લૂથરાએ જવાબ આપ્યો કે સપ્લાયરને આ કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં અગાઉની સરકારમાં આપવામાં આવ્યો હતો. TTDના પૂર્વ ચેરમેન સુબ્બા રેડ્ડીનો દાવો છે કે પ્રસાદમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે નવી SIT ટીમમાં કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) અને આંધ્ર પ્રદેશ પોલીસના બે બે અધિકારીઓ ઉપરાંત FSSAIનો એક વરિષ્ઠ અધિકારી પણ સામેલ હશે. બેન્ચે કહ્યું, 'અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમે ન્યાયાલયનો રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ નહીં થવા દઈએ પરંતુ કરોડો લોકોની લાગણીઓને શાંત કરવા માટે અમે ઇચ્છીએ છીએ કે તપાસ એક સ્વતંત્ર SIT પાસે કરાવવી જોઈએ.'

આ પણ વાંચોઃ

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
Embed widget