શોધખોળ કરો

જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે તિરુપતિ મંદિરમાં શ્રદ્ધા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને શાંત કરવા માટે એક સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવાનો આદેશ આપી રહી છે.

તિરુમાલા તિરુપતિ મંદિર લાડુ પ્રસાદમાં ભેળસેળ મામલે સુનાવણીમાં સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે પૂછ્યું કે જ્યારે જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ ઘી મંદિર સુધી પહોંચવાની મંજૂરી કેમ આપી. શુક્રવાર (4 ઓક્ટોબર, 2024)ના રોજ સુપ્રીમ કોર્ટ તપાસ માટે સ્વતંત્ર SIT ટીમ બનાવવાની માંગ વાળી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના આરોપો પર સવાલ ઉઠાવ્યા કે તેમને કેવી રીતે ખબર પડી કે પ્રસાદમાં ભેળસેળ થઈ છે.

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણન ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે પ્રસાદમાં ભેળસેળની તપાસ માટે પાંચ સભ્યોની ઇન્ડિપેન્ડન્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોર્ટને રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

કપિલ સિબ્બલ પૂર્વ રાજ્યસભા સાંસદ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પૂર્વ ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીની તરફથી કોર્ટમાં હાજર થયા. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે આ વાત પર ભાર મૂક્યો કે સ્વતંત્ર તપાસની જરૂર છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જે નિવેદનો આપ્યા છે, એવામાં રાજ્ય તરફથી રચાયેલી SIT ટીમ પાસેથી સ્વતંત્ર તપાસની અપેક્ષા નથી રાખી શકાતી. જો તેમણે નિવેદન ન આપ્યું હોત તો અલગ વાત હોત.

આંધ્ર પ્રદેશ સરકારની તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કપિલ સિબ્બલની દલીલ પર કહ્યું કે પ્રસાદમાં ભેળસેળને લઈને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NBBD)નો લેબ રિપોર્ટ જુલાઈમાં જ આવી ગયો હતો અને તેના આધારે જ ચંદ્રબાબુ નાયડુએ આ વાત કહી. આ પર કપિલ સિબ્બલે આંધ્ર પ્રદેશ સરકારના વકીલ મુકુલ રોહતગીને ટોકતા પૂછ્યું, 'ચંદ્રબાબુ નાયડુને કેવી રીતે ખબર કે લાડુ પ્રસાદમાં ચરબીનો ઉપયોગ થયો?' મુકુલ રોહતગીએ જવાબ આપ્યો કે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. અહીં કપિલ સિબ્બલે મુકુલ રોહતગીને ફરીથી ટોક્યા અને કહ્યું કે રિપોર્ટમાં તો વેજીટેબલ ફેટના ઉપયોગની વાત કહેવામાં આવી છે.

આ દરમિયાન જસ્ટિસ કેવી વિશ્વનાથને TTDના વકીલ સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરાને કહ્યું કે 6 અને 12 જુલાઈએ ઘીના બે કન્સાઇનમેન્ટ પહોંચ્યા અને TTD ચેરમેને ઓન રેકોર્ડ કહ્યું છે કે આ કન્સાઇનમેન્ટનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે નથી કરવામાં આવ્યો. ત્યારે એડવોકેટ લૂથરાએ કોર્ટને જણાવ્યું કે આ બંને કન્સાઇનમેન્ટ અશુદ્ધ હતા એટલે તેનો ઉપયોગ પ્રસાદમાં નથી કરવામાં આવ્યો. ત્યારે કપિલ સિબ્બલે તેમને પૂછ્યું તો પછી દૂષિત ઘીને મંદિર સુધી પહોંચવાની મંજૂરી કેમ આપવામાં આવી. આ પર એડવોકેટ લૂથરાએ જવાબ આપ્યો કે સપ્લાયરને આ કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં અગાઉની સરકારમાં આપવામાં આવ્યો હતો. TTDના પૂર્વ ચેરમેન સુબ્બા રેડ્ડીનો દાવો છે કે પ્રસાદમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે નવી SIT ટીમમાં કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) અને આંધ્ર પ્રદેશ પોલીસના બે બે અધિકારીઓ ઉપરાંત FSSAIનો એક વરિષ્ઠ અધિકારી પણ સામેલ હશે. બેન્ચે કહ્યું, 'અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમે ન્યાયાલયનો રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ નહીં થવા દઈએ પરંતુ કરોડો લોકોની લાગણીઓને શાંત કરવા માટે અમે ઇચ્છીએ છીએ કે તપાસ એક સ્વતંત્ર SIT પાસે કરાવવી જોઈએ.'

આ પણ વાંચોઃ

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Embed widget