શોધખોળ કરો

જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે તિરુપતિ મંદિરમાં શ્રદ્ધા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને શાંત કરવા માટે એક સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવાનો આદેશ આપી રહી છે.

તિરુમાલા તિરુપતિ મંદિર લાડુ પ્રસાદમાં ભેળસેળ મામલે સુનાવણીમાં સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલે પૂછ્યું કે જ્યારે જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ ઘી મંદિર સુધી પહોંચવાની મંજૂરી કેમ આપી. શુક્રવાર (4 ઓક્ટોબર, 2024)ના રોજ સુપ્રીમ કોર્ટ તપાસ માટે સ્વતંત્ર SIT ટીમ બનાવવાની માંગ વાળી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના આરોપો પર સવાલ ઉઠાવ્યા કે તેમને કેવી રીતે ખબર પડી કે પ્રસાદમાં ભેળસેળ થઈ છે.

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણન ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે પ્રસાદમાં ભેળસેળની તપાસ માટે પાંચ સભ્યોની ઇન્ડિપેન્ડન્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોર્ટને રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

કપિલ સિબ્બલ પૂર્વ રાજ્યસભા સાંસદ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પૂર્વ ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીની તરફથી કોર્ટમાં હાજર થયા. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે આ વાત પર ભાર મૂક્યો કે સ્વતંત્ર તપાસની જરૂર છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જે નિવેદનો આપ્યા છે, એવામાં રાજ્ય તરફથી રચાયેલી SIT ટીમ પાસેથી સ્વતંત્ર તપાસની અપેક્ષા નથી રાખી શકાતી. જો તેમણે નિવેદન ન આપ્યું હોત તો અલગ વાત હોત.

આંધ્ર પ્રદેશ સરકારની તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કપિલ સિબ્બલની દલીલ પર કહ્યું કે પ્રસાદમાં ભેળસેળને લઈને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NBBD)નો લેબ રિપોર્ટ જુલાઈમાં જ આવી ગયો હતો અને તેના આધારે જ ચંદ્રબાબુ નાયડુએ આ વાત કહી. આ પર કપિલ સિબ્બલે આંધ્ર પ્રદેશ સરકારના વકીલ મુકુલ રોહતગીને ટોકતા પૂછ્યું, 'ચંદ્રબાબુ નાયડુને કેવી રીતે ખબર કે લાડુ પ્રસાદમાં ચરબીનો ઉપયોગ થયો?' મુકુલ રોહતગીએ જવાબ આપ્યો કે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. અહીં કપિલ સિબ્બલે મુકુલ રોહતગીને ફરીથી ટોક્યા અને કહ્યું કે રિપોર્ટમાં તો વેજીટેબલ ફેટના ઉપયોગની વાત કહેવામાં આવી છે.

આ દરમિયાન જસ્ટિસ કેવી વિશ્વનાથને TTDના વકીલ સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરાને કહ્યું કે 6 અને 12 જુલાઈએ ઘીના બે કન્સાઇનમેન્ટ પહોંચ્યા અને TTD ચેરમેને ઓન રેકોર્ડ કહ્યું છે કે આ કન્સાઇનમેન્ટનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે નથી કરવામાં આવ્યો. ત્યારે એડવોકેટ લૂથરાએ કોર્ટને જણાવ્યું કે આ બંને કન્સાઇનમેન્ટ અશુદ્ધ હતા એટલે તેનો ઉપયોગ પ્રસાદમાં નથી કરવામાં આવ્યો. ત્યારે કપિલ સિબ્બલે તેમને પૂછ્યું તો પછી દૂષિત ઘીને મંદિર સુધી પહોંચવાની મંજૂરી કેમ આપવામાં આવી. આ પર એડવોકેટ લૂથરાએ જવાબ આપ્યો કે સપ્લાયરને આ કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં અગાઉની સરકારમાં આપવામાં આવ્યો હતો. TTDના પૂર્વ ચેરમેન સુબ્બા રેડ્ડીનો દાવો છે કે પ્રસાદમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે નવી SIT ટીમમાં કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) અને આંધ્ર પ્રદેશ પોલીસના બે બે અધિકારીઓ ઉપરાંત FSSAIનો એક વરિષ્ઠ અધિકારી પણ સામેલ હશે. બેન્ચે કહ્યું, 'અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમે ન્યાયાલયનો રાજકીય યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ નહીં થવા દઈએ પરંતુ કરોડો લોકોની લાગણીઓને શાંત કરવા માટે અમે ઇચ્છીએ છીએ કે તપાસ એક સ્વતંત્ર SIT પાસે કરાવવી જોઈએ.'

આ પણ વાંચોઃ

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
''Gen Z ઈમાનદાર પેઢી, સરકારે સમયસર વાત કરી હોત તો આંદોલન આટલું આગળ ન વધત': મોહન ભાગવત
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
ફ્રી UPIની સફર થશે પૂર્ણ ? નવા કાયદા બાદ તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર?
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
Embed widget