શોધખોળ કરો

Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

Fact Check: જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ કન્ફર્મ ન થાય તો રિઝર્વ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા બદલ દંડ ભરવો પડે છે.

Fact Check:રેલવેમાં વેઈટિંગ ટિકિટને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય રેલવેમાં વેઇટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. જો કે, કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ભારતીય રેલ્વે 1 જાન્યુઆરી, 2025 થી વેઇટિંગ ટિકિટને લઈને આ નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે, વેઇટિંગ ટિકિટ પર રિઝર્વ  કોચમાં મુસાફરી કરવા બદલ દંડ ભરવો પડે છે. જો ઓનલાઈન બુક કરેલી ટિકિટ કન્ફર્મ ન થાય તો તે આપમેળે રદ થઈ જાય છે અને ખાતામાં પૈસા પરત કરવામાં આવે છે. 1 જાન્યુઆરી, 2025 થી આ નિયમના અમલીકરણ અંગે કોઈ સૂચના અથવા અહેવાલ પ્રાપ્ત થયો નથી.

શું છે વાયરલ પોસ્ટ

યુઝરે આ પોસ્ટ વિશ્વાસ ન્યૂઝ ટીપલાઈન નંબર +91 9599299372 પર મોકલી અને તેનું સત્ય જણાવવા અનુરોધ કર્યો હતો.  એવો દાવો કરવામાં આવ્યો હતો કે રેલવેમાં વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા માટેનો નવો નિયમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે, જે અંતર્ગત વેઇટિંગ ટિકિટ પરના મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના ટ્રેનમાં મુસાફરી કરી શકશે.


Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

-ફેસબુક યુઝર News Beaconને પણ આવો જ દાવાની   (આર્કાઇવ લિંક) શેર કરી છે. તેમાં લખ્યું છે કે,

“Waiting Ticket New Rule: હવે તમે કોઈપણ મુશ્કેલી વિના કરી શકશો મુસાફરી, જાણો રેલ્વેના નવા નિયમ Links ભારતીય રેલ્વેએ તાજેતરમાં વેઇટિંગ ટિકિટ  ધારકો માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે. આ નવા નિયમ હેઠળ, હવે વેઇટિંગ ટિકિટવાળા મુસાફરો પણ કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરી શકશે.


Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

તપાસ

વાયરલ દાવાને ચકાસવા માટે, અમે કીવર્ડ્સ વડે ગૂગલ પર સર્ચ કર્યું. IRCTCની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાર્ટ તૈયાર કર્યા પછી, જે મુસાફરોની સ્થિતિ સંપૂર્ણ રીતે કન્ફર્મ છે/આરએસી છે તેમના નામ ચાર્ટમાં દેખાશે અને તેઓ તેમની મુસાફરી કરી શકશે. જેમના નામ અંશતઃ કન્ફર્મ/આંશિક વેઇટલિસ્ટ અથવા અંશતઃ આરએસી/આંશિક વેઇટલિસ્ટેડ છે તેઓ વેઇટલિસ્ટ પેસેન્જરો સાથે ચાર્ટમાં દેખાશે. ચાર્ટ તૈયાર થયા પછી, જે મુસાફરોના નામ વેઇટિંગ લિસ્ટમાંથી સંપૂર્ણપણે ગાયબ છે તેમના નામ દૂર કરવામાં આવશે અને ચાર્ટમાં દેખાશે નહીં. તેમને ટ્રેનમાં ચઢવા દેવામાં આવતા નથી. જો તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળે છે, તો તેમને વર્તમાન રેલવે નિયમો અનુસાર ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો તરીકે ગણવામાં આવશે. ચાર્ટ તૈયાર થયા પછી, IRCTC તેમની ટિકિટ કેન્સલ કરશે અને પૈસા પરત કરવામાં આવશે.


Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

આરસીટીસીના કેન્સલેશનના નિયમો અનુસાર, જો પ્રથમ ચાર્ટિંગ કર્યા પછી વેઇટિંગ ટિકિટમાં કોઈપણ મુસાફરની બર્થ અથવા સીટ કન્ફર્મ નહીં થાય, તો ટિકિટ આપમેળે રદ થઈ જશે અને ટિકિટની સંપૂર્ણ રકમ ખાતામાં જમા થઈ જશે.


Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

PIBના ફેક્ટ ચેક યુનિટ દ્વારા 18 જુલાઈ, 2024ના રોજ એક પોસ્ટમાં માહિતી આપવામાં આવી હતી કે, રેલવેના 2010ના પરિપત્ર મુજબ, માત્ર કન્ફર્મ અને આંશિક કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકો જ રિઝર્વ કોચમાં મુસાફરી કરી શકે છે. વેઇટિંગ ટિકિટ આપોઆપ રદ થાય છે. જો કોઈ મુસાફર કાઉન્ટર પરથી વેઈટિંગ ટિકિટ લે છે, તો તે માત્ર જનરલ કોચમાં જ મુસાફરી કરી શકે છે, રિઝર્વ કોચમાં નહીં. આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

16 જુલાઈ, 2024 ના રોજ India.com વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, ભારતીય રેલ્વેએ વેઈટીંગ લિસ્ટ મુસાફરો માટે કડક નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ, જો વેઇટિંગ ટિકિટ પર આરક્ષિત કોચમાં મુસાફરી કરે છે, તો મુસાફર પાસેથી દંડ વસૂલવામાં આવશે અને તેને આગલા સ્ટેશન પર ઉતારી દેવામાં આવશે. જો આવો મુસાફર એસી કોચમાં મુસાફરી કરે છે તો તેને ઓછામાં ઓછો 440 રૂપિયાનો દંડ અને આગલા સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે. સ્લીપર કોચમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરવા પર 250 રૂપિયાનો દંડ અને આગલા સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે.


Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

29 નવેમ્બર, 2024 ના રોજ, જ્યારે રાજ્યસભામાં રેલ્વેમાં વેઇટિંગ ટિકિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, નિયમો અનુસાર, વેઇટિંગ લિસ્ટના મુસાફરો રિઝર્વ કોચમાં મુસાફરી કરી શકતા નથી.


Fact Check: વેઇટિંગ ટિકિટ પર યાત્રા કરવાથી ભરવો પડે છે દંડ, નિયમમાં થયેલા બદલાવના દાવામાં કેટલું સત્ય?

સર્ચ દરમિયાન, અમને રેલવેનો એવો કોઈ અહેવાલ કે સૂચના મળી નથી, જે સાબિત કરી શકે કે 1 જાન્યુઆરી, 2025 થી આ નિયમના અમલીકરણ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી હોય.

આ અંગે ઉત્તર-પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પીઆરઓ કમલ જોશીનું કહેવું છે કે, જો વેઇટિંગ ટિકિટ કન્ફર્મ ન હોય તો ટ્રેનમાં મુસાફરી કરી શકાતી નથી. આમ કરવાથી દંડ થઈ શકે છે. 1 જાન્યુઆરી, 2025 થી બદલાતા આ નિયમ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

અમે ફેસબૂક યુઝરની પ્રોફાઈલ સ્કેન કરી છે જેણે વેઈટીંગ ટિકિટો અંગે ખોટી માહિતી પોસ્ટ કરી હતી. યુઝરના 16 ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, જો ટિકિટ કન્ફર્મ ન હોય તો રિઝર્વ  કોચમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા બદલ દંડ ભરવો પડે છે.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Embed widget