શોધખોળ કરો

UCC : યૂનિફોર્મ સિવિલ કોડને લઈ હલચલ તેજ, અમિત શાહ અચાનક એક્શન મોડમાં

આ ઘટનાક્રમ અંતર્ગત કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા.

Uniform Civil Code Discussion : દેશના તમામ નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવાને લઈને હલચલ તેજ બની ગઈ છે. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ઈશારો કરવામાં આવતા જ UCCને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાક્રમ અંતર્ગત કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન કાયદા સચિવ પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં UCC વિશે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

જાહેર છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની ભારપૂર્વક હિમાયત કરી હતી. આ દરમિયાન તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, દ્વિ વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?' સાથે જ તેમણે કહ્યું હતું કે, આ સંવેદનશીલ મુદ્દા પર મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ સમાન નાગરિક કાયદાને લઈ ચિંધી આંગળી 

વડાપ્રધાને અહીં કહ્યું હતું કે. આપણે જોઈ રહ્યા છીએ કે, સમાન નાગરિક સંહિતાના નામે લોકોને ભડકાવવાનું કામ થઈ રહ્યું છે. જો ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય, તો શું તે કુટુંબ ચલાવી શકશે? તો પછી આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? આપણે યાદ રાખવું પડશે કે ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે.

ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ લોકો (વિપક્ષ) અમારા પર આરોપ લગાવે છે, પરંતુ હકીકત એ છે કે તેઓ મુસ્લિમો, મુસ્લિમો કરે છે. જો તેઓ ખરેખર મુસ્લિમોના હિતમાં (કામ કરતા) હોત તો મુસ્લિમ પરિવારો શિક્ષણ અને નોકરીમાં પાછળ ન હોત.
 
કાયદા પંચે તમામ પક્ષકારો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો

યુનિફોર્મ સિવિલ કોડ અંગે પીએમ મોદીનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, આ મહિને જ કાયદા પંચે સમાન નાગરિક સંહિતા અંગે સામાન્ય લોકો અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ હિતધારકોના મંતવ્યો મંગાવ્યા છે. 14 જૂનના રોજ જારી કરાયેલી જાહેર નોટિસમાં, કાયદા પંચે એક મહિનાની અંદર બધા પાસેથી મંતવ્યો માંગ્યા છે. જે તેઓ ઇમેઇલ દ્વારા અથવા લિંક દ્વારા ઑનલાઇન મોકલી શકે છે.

કાયદા પંચની આ નોટિસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સૂત્રોનું કહેવું છે કે કોમન સિવિલ કોડ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનો મુખ્ય એજન્ડા બની શકે છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે ત્રીજા મોટા પગલા તરીકે ભાજપના ચૂંટણી પ્રચારનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

આ ઘટનાક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત ઘણી સાંકેતિક માનવામાં આવે છે. આ બેઠકમાં કાયદા સચિવ પણ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં યુસીસીની દિશામાં ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Embed widget