શોધખોળ કરો

NPRમાં કોઈ દસ્તાવેજ નહીં માંગવામાં આવે, કોઈને ડરવાની નથી જરૂર: અમિત શાહ

અમિત શાહે કહ્યું એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. એનપીઆરમાં કોઈપણ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)માં કોઈપણ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે લોકો પાસે જે જાણકારી નથી. તેને આપવાની કોઈ જરૂરત નથી. અમિત શાહે કહ્યું એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. એમ રાજ્યસભામાં દિલ્હી હિંસા પર થઈ રહેલી ચર્ચાનો જવાબ આપતી વખતે ગૃહમંત્રી કહ્યું હતું. અમિત શાહે કહ્યું કે, “ખૂબજ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, દેશભરમાં નાગરિકતા કાયદાને લઈ મુસલમાન ભાઈઓ-બહેનોના મનમાં એક ડર બેસાડી દેવામાં આવ્યો છે કે તમારી નાગરિકતા સીએએ થી છીનવી લેવામાં આવશે. આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. CAA નાગરિકતા છીનવવાનો કાયદો નથી. આ નાગરિકતા આપવાનો કાયદો છે.” દિલ્હી હિંસા પર અમિત શાહે કહ્યું, “રમખાણ ઉપરાંત અત્યાર સુધી 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ સવારે દિલ્હીના તમામ પોલીસ મથકમાં શાંતિ સમિતિઓની બેઠક બોલવાની શરૂ કરી દીધી હતી. 26 ફેબ્રુઆરી સુધી 321 અમન સમિતિઓની બેઠક બોલાવીને અમે તમામ સંપ્રદાયના ધર્મ ગુરુઓને તોફાનો ન ફેલાય તે માટે તેમને પોતાના પ્રભાવનો પ્રયોગ કરવાની વિનંતી કરી હતી. દિલ્હીના દંગા મામલે અત્યાર સુધી 2600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ” ગૃહમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં ઘણી ઘટનાઓમાં ખાનગી હથિયાર ચલાવવાની ઘટના પણ સામે આવી છે. એવા 49 મામલા નોંધવામાં આવ્યા છે અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ સવા સૌ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. જેની ઓળખ થઈ ચૂકી છે, તેની તમામ ડિટેલ અમારી પાસે ઉપલબ્ધ થઈ ગઈ છે. એવા લોકોને પકડવા માટે 40 થી વધુ સ્પેશિયલ ટીમનું ગઠન કર્યું છે. જે દિવસ રાત ધરપકડ કરવાનું કામ કરી રહી છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget