![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Uttarakhand Election:શું પંજાબના પ્રભારી પદ પરથી રાજીનામુ આપશે હરીશ રાવત? જાણો પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્રને શું આપી ચેતવણી
ઉત્તરાખંડની ચૂંટણી 2022: હરીશ રાવતે કહ્યું કે, ‘કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારી પ્રામાણિકપણે પૂરી કરી રહ્યો છું’
![Uttarakhand Election:શું પંજાબના પ્રભારી પદ પરથી રાજીનામુ આપશે હરીશ રાવત? જાણો પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્રને શું આપી ચેતવણી Uttarakhand assembly election 2022 will harish rawat resign as in charge of Punjab former chief minister gave the answer Uttarakhand Election:શું પંજાબના પ્રભારી પદ પરથી રાજીનામુ આપશે હરીશ રાવત? જાણો પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્રને શું આપી ચેતવણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/02/5220c09be6e6787361487317fa5f6a48_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: ઉત્તરાખંડની ચૂંટણી 2022: હરીશ રાવતે કહ્યું કે, ‘કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારી પ્રામાણિકપણે પૂરી કરી રહ્યો છું’
Uttarakhand Assembly election 2022
કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે શુક્રવારે કહ્યું કે, તેમનું સમગ્ર ધ્યાન રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર છે. દહેરાદૂનમાં પત્રકાર પરિષદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પંજાબના પ્રભારી પદેથી રાજીનામું આપશે, તો રાવતે સીધો જવાબ આપ્યો હતો કે, સમગ્ર ધ્યાન ઉત્તરાખંડમાં યોજાનારી ચૂંટણીઓ પર છે.
આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી છે. રાવતે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને જે જવાબદારી સોંપી છે, તે તેને પૂરી ઈમાનદારીથી પૂરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શનિવારે ગાંધી જયંતિ પર ગાંધીના મૂલ્યોને અનુસરવાનો તેમનો સંકલ્પ છે. રાવત હાલમાં પંજાબમાં કોંગ્રેસ બાબતોના પ્રભારી છે તેમજ ઉત્તરાખંડ કોંગ્રેસ ચૂંટણી સમિતિના પ્રમુખ પદની બેવડી જવાબદારી સંભાળી રહ્યા છે.
રાવતે કેન્દ્નને શું આપી ચેતાવણી
હરીશ રાવતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે, પંજાબની બહુમતી સરકારને ઉથલાવવાનો પ્રયાસ ન કરો. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે વાતચીત આગળ વધી છે. રાવતે કહ્યું કે ચન્ની દલિત મુખ્યમંત્રી છે અને તમામ પક્ષોએ તેમને સહકાર આપવો જોઈએ. "પરંતુ હું ભાજપની કેન્દ્ર સરકારને ચેતવણી આપું છું કે પંજાબની બહુમતી સરકારને ઉથલાવવાનો પ્રયાસ ન કરે."
રાવતે ચેતવણી આપી કે, જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ઘણા સારા પગલા લઈ રહી છે જેમાં દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ સિવાય રેતી પરનું નિયંત્રણ પણ દૂર કરવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને સિદ્ધુ વચ્ચેના ઝઘડા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સમસ્યાનો અમુક ઉકેલ મળી જશે અને બંને નેતાઓ વચ્ચે વાતચીત સકારાત્મક રીતે આગળ વધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)