શોધખોળ કરો

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત

વિરુધુનગર જિલ્લાના કટ્ટનારપટ્ટી ખાતે ફટાકડા ફેક્ટરીમાં કેમિકલના ઘર્ષણને કારણે બ્લાસ્ટ થતા 20 મજૂરોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપી બે મંત્રીઓને ઘટનાસ્થળે મોકલ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, ૨૦ મજૂરોના મૃત્યુ.
  • ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ, વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા.
  • મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ.
  • વિરુધુનગર ફટાકડા ઉદ્યોગનું હબ, અગાઉ પણ આવા અકસ્માતો.

Virudhunagar factory blast: તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 20 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને તેનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કાટમાળ નીચે હજુ પણ કેટલાક મજૂરો ફસાયા હોવાની આશંકા છે, જેથી પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના કટ્ટનારપટ્ટી પાસે આવેલી 'વનજા ફટાકડાની ફેક્ટરી'માં બની હતી, જેના માલિક મુથુમાનિકમ છે. જ્યારે અકસ્માત થયો ત્યારે ફેક્ટરીમાં આશરે 30 જેટલા મજૂરો રોજના કામમાં લાગેલા હતા. એવું માનવામાં આવે છે કે ફટાકડા બનાવવા માટે વપરાતા જ્વલનશીલ કેમિકલના મિશ્રણ વખતે અચાનક ઘર્ષણ થવાથી આ ભયંકર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીના 4 રૂમ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘાયલ થયેલા 6 લોકોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં દાઝી ગયેલા કેટલાક લોકોની હાલત ખૂબ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે તેવી પૂરી આશંકા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એસપી શ્રીનાથ પોતે ઘટનાસ્થળે હાજર રહીને આ બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. ફેક્ટરીમાં હજુ પણ જ્વલનશીલ રસાયણો હોવાને કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જેસીબી અને ભારે મશીનોની મદદથી ખૂબ જ સાવચેતીપૂર્વક કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તેમને તાત્કાલિક મેડિકલ સહાય પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.

આ કરુણ ઘટના અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોતાના બે મંત્રીઓ   કે.કે.એસ.આર. રામચંદ્રન અને થંગમ થેન્નારાસુને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વિરુધુનગર અને તેની આસપાસનો શિવકાશી વિસ્તાર આખા દેશમાં ફટાકડા અને દિવાસળીના ઉત્પાદનનું સૌથી મોટું હબ માનવામાં આવે છે. અહીં અવારનવાર આવા જીવલેણ અકસ્માતો થતા રહે છે. ઘણીવાર કેમિકલ મિક્સિંગ રૂમમાં તાપમાન વધવાથી, ક્ષમતા કરતા વધુ દારૂખાનું સંગ્રહ કરવાથી કે પછી સલામતીના નિયમો નેવે મૂકવાથી આવી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અગાઉ પણ 6 જુલાઈએ અને ગયા વર્ષે જાન્યુઆરીમાં અહીં આસપાસની ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. હાલ તો વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા છે કે આ ફેક્ટરી પાસે કાયદેસરનું સંચાલન લાયસન્સ હતું કે નહીં અને સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં. જોકે, અત્યારે પહેલી પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાની છે.

Frequently Asked Questions

વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કેટલા લોકોના મોત થયા?

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ દુર્ઘટના કઈ ફટાકડા ફેક્ટરીમાં બની હતી?

આ ઘટના કટ્ટનારપટ્ટી પાસે આવેલી 'વનજા ફટાકડાની ફેક્ટરી'માં બની હતી, જેના માલિક મુથુમાનિકમ છે.

ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનું કારણ શું હોઈ શકે?

પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવા માટે વપરાતા જ્વલનશીલ કેમિકલના મિશ્રણ વખતે અચાનક ઘર્ષણ થવાથી આ વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે.

દુર્ઘટના બાદ તાત્કાલિક શું પગલાં લેવામાં આવ્યા?

ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
Indian Railways: ટ્રેનમાં વેઇટિંગ ટિકિટનો ખેલ થશે ખતમ? રેલવે 1 જૂનથી કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ!
Indian Railways: ટ્રેનમાં વેઇટિંગ ટિકિટનો ખેલ થશે ખતમ? રેલવે 1 જૂનથી કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ!
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Embed widget