શોધખોળ કરો

Vote From Home: ચૂંટણી પંચે વોટ ફ્રોમ હોમની કરી જાહેરાત, કર્ણાટક ચૂંટણીમાં વૃદ્ધો અને દિવ્યાંગોને મળશે આ લાભ

આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, "કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023 સુધીનો છે

Rajiv Kumar Press Conference:  દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે (11 માર્ચ) વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મોટી સુવિધાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જાહેરાત કરી હતી કે 80 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટ ફ્રોમ હોમનો વિકલ્પ મળશે. તેમણે કહ્યું કે આ પ્રકારની સુવિધા પ્રથમ વખત આપવામાં આવશે.

આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, "કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023 સુધીનો છે, તેથી નવી વિધાનસભા યોજવી પડશે અને તે પહેલા ચૂંટણી પૂર્ણ કરવી પડશે. વોટ ફ્રોમ હોમ ફેસિલિટી અંગે તેમણે કહ્યું કે, "અમે પ્રથમ વખત કર્ણાટકમાં 80 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અને દિવ્યાંગ મતદારોને સુવિધા આપવા જઈ રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો તેમના ઘરેથી પણ મતદાન કરી શકે છે."

વોટ ફ્રોમ હોમનો લાભ કેવી રીતે મળશે?

રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચની ટીમ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે તેમના મત લેવા માટે ફોર્મ-12D સાથે પહોંચશે. આ પ્રક્રિયામાં પણ સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, "આ સુવિધા એવા લોકો માટે છે જે મતદાન કરવા માટે મતદાન મથક પર જઈ શકતા નથી." રાજીવ કુમારે કહ્યું, "મતદારોને મતદાન મથક પર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઉમેદવારો માટે નવી મોબાઈલ એપ

રાજીવ કુમારે કહ્યું હતું કે એક અન્ય મોબાઇલ એપ્લિકેશન 'સુવિધા' વિકસાવવામાં આવી છે, જે ઉમેદવારો માટે નોમિનેશન અને એફિડેવિટ ફાઇલ કરવા માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે." ઉમેદવારો સભાઓ અને રેલીઓ માટે પરવાનગી લેવા માટે પણ આ સુવિધા પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, પહેલાની જેમ રાજકીય પક્ષોએ તેમના પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મતદારોને જણાવવું પડશે કે તેઓએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને કેમ પસંદ કર્યા અને તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.

100 વર્ષથી વધુ ઉંમરના ઘણા મતદારો

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં 5.21 કરોડ મતદારો છે, જેમાંથી 2.59 કરોડ મહિલાઓ છે. આવા 16,976 મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. 4,699 મતદારો થર્ડ જેન્ડર છે અને 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. 12.15 લાખથી વધુ મતદારો 80 વર્ષના છે અને 5.55 મતદારો શારીરિક રીતે અક્ષમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget