શોધખોળ કરો

Voter List 2026: પશ્ચિમ બંગાળમાં 58 લાખ તો રાજસ્થાનમાં 42 લાખ નામ રદ! SIR બાદ ડ્રાફ્ટ યાદી જાહેર

Election Commission voter list draft: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, બોગસ મતદાન રોકવા સપાટો, તમારું નામ યાદીમાં છે કે નહીં? 15 જાન્યુઆરી સુધી ફરી અરજીની તક.

Election Commission voter list draft: ભારતીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાથ ધરાયેલા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિતના રાજ્યોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી લાખો નામોની બાદબાકી કરવામાં આવી છે. બંગાળમાં 58 લાખ અને રાજસ્થાનમાં 42 લાખ મતદારોના નામ રદ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત થયેલા લોકોનો સમાવેશ થાય છે. જો તમારું નામ પણ યાદીમાંથી નીકળી ગયું હોય, તો 15 જાન્યુઆરી 2026 સુધી સુધારો કરવાની તક આપવામાં આવી છે.

દેશમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા અને બોગસ વોટિંગ અટકાવવા માટે ચૂંટણી પંચ સતત સક્રિય છે. તાજેતરમાં 4 નવેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન ચાલેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પંચે વિવિધ રાજ્યોની સુધારેલી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોટા પાયે નામો રદ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે યાદીમાં કેટલા ડુપ્લિકેટ અને મૃત મતદારોના નામ બોલતા હતા.

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ઘટાડો 

સૌથી મોટી કાર્યવાહી પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે. અહીંની મતદાર યાદીમાંથી કુલ 58,20,898 નામો હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 7.66 કરોડથી ઘટીને 7.08 કરોડ થઈ ગઈ છે. જોકે, બંગાળના સુપરવાઈઝર સુબ્રત ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે જે 30 લાખ મતદારોનો ડેટા 2002ની યાદી સાથે મેચ નથી થતો, તેમને ગભરાવાની જરૂર નથી. આવા લોકોને સુનાવણીની તક આપીને વોટર આઈડી (Voter ID) અંગે યોગ્ય નિર્ણય લેવાશે.

રાજસ્થાનમાં 42 લાખ નામો પર કાતર 

રાજસ્થાનમાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કડક પગલાં લેવાયા છે. રાજ્યના કુલ 5.46 કરોડ મતદારોમાંથી આશરે 42 લાખ નામો રદ કરવામાં આવ્યા છે. ડેટા મુજબ, આશરે 8.75 લાખ મતદારો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 29.6 લાખ મતદારો સ્થળાંતરિત થયા હોવાનું સામે આવ્યું હતું. જયપુર જિલ્લામાં સૌથી વધુ નામો કમી થયા છે. આ ઉપરાંત 11 લાખ જેટલા શંકાસ્પદ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે.

ગોવા અને અન્ય રાજ્યોની સ્થિતિ 

આ ઝુંબેશ અંતર્ગત ગોવામાં પણ 1 લાખથી વધુ અને લક્ષદ્વીપમાં 1,400 જેટલા નામો ડ્રાફ્ટ લિસ્ટમાંથી દૂર કરાયા છે.

મતદારો માટે હવે શું? 

જે લાયક નાગરિકોના નામ ભૂલથી યાદીમાંથી નીકળી ગયા હોય કે જેમણે નવું વોટર કાર્ડ કઢાવવું હોય, તેમના માટે ચૂંટણી પંચે ફરી એક તક આપી છે. આવા મતદારો 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે. લોકશાહીને મજબૂત કરવા માટે એક સ્વચ્છ અને સચોટ મતદાર યાદી હોવી અત્યંત આવશ્યક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget