શોધખોળ કરો

વકફ બિલ અંગે સંજય રાઉતનો મોટો ધડાકો, 'ભાજપના મોટા નેતાઓ અમારા સંપર્કમાં હતા અને...'

Waqf Bill passed: રાઉતે બિલને ગેરકાયદેસર કામોને કાયદેસર બનાવવાનું કાવતરું ગણાવ્યું, શિંદે જૂથને ડરેલું ગણાવ્યું અને પીએમ મોદીની થાઈલેન્ડ મુલાકાત પર પણ કર્યા પ્રહાર.

Sanjay Raut BJP claim: લોકસભા અને રાજ્યસભામાં વકફ સુધારા બિલ પાસ થયા બાદ શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ બિલ હિન્દુત્વ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી, પરંતુ તેનો હેતુ તેમના ગેરકાયદેસર કામોને કાયદેસર બનાવવાનો છે. રાઉતે અહીં સુધી કહ્યું કે ભાજપના મોટા નેતાઓ તેમના સંપર્કમાં હતા અને તેમને આ બિલને સમર્થન આપવા માટે કહી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે તેમના કેટલાક સાથીદારો બહાર હતા, નહીં તો તેમના મત પણ આ બિલના વિરોધમાં પડ્યા હોત.

આ દરમિયાન સંજય રાઉતે શિવસેનાના એકનાથ શિંદે જૂથ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શિંદે જૂથના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના શિષ્ય ગણાવ્યા અને કહ્યું કે આ લોકો ડરેલા છે.

સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થાઈલેન્ડની મુલાકાત પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે બેંગકોકમાં તેમના મગજની માલિશ કરવામાં આવી રહી છે. રાઉતે કહ્યું કે થાઈલેન્ડ એવી જગ્યા છે જ્યાં લોકોના મન અને મગજની માલિશ કરવામાં આવે છે. તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે એક મોટો ખતરો છે અને ચીને તેનો વળતો જવાબ પણ આપ્યો છે. પરંતુ આપણા વડાપ્રધાન થાઈલેન્ડમાં ફરી રહ્યા છે.

અગાઉ સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ 2025 પર ચર્ચા દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી સંસદના બંને ગૃહોમાં ગરીબ મુસ્લિમોને લઈને ઘણી ચિંતા જોવા મળી રહી છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે અચાનક આટલી બધી ચિંતા કેમ થઈ રહી છે, જેનાથી તેમને ડર લાગે છે અને મુસ્લિમો તેમજ હિંદુઓ પણ ડરી રહ્યા છે.

રાઉતે ભૂતકાળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા પણ મુસ્લિમોની આટલી ચિંતા કરતા ન હતા. તેમણે સત્તાધારી પક્ષને સંબોધતા કહ્યું કે પહેલા તેઓ વિચારતા હતા કે તેઓ સાથે મળીને હિંદુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે, પરંતુ આ બધું જોઈને તેમને લાગે છે કે તેઓ હિંદુ પાકિસ્તાન બનાવવા તરફ જઈ રહ્યા છે.

સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે સરકાર દ્વારા લાવવામાં આવેલું આ બિલ લોકોનું ધ્યાન ભટકાવવા માટે છે. તેમણે કહ્યું કે ગઈકાલે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા ડ્યૂટી લાદીને આર્થિક હુમલો કર્યો હતો અને તે જ દિવસે સરકારે આ બિલ લાવીને લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો છે. રાઉતે માંગ કરી હતી કે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેક્સની દેશના અર્થતંત્ર પર શું અસર પડશે તેની ચર્ચા થવી જોઈએ, કારણ કે તેનાથી દેશનું અર્થતંત્ર પડી ભાંગશે અને રૂપિયાનું મૂલ્ય ઘટશે. તેમણે કહ્યું કે જનતા આ બધી બાબતો વિશે વિચારી રહી હતી, પરંતુ સરકારે હિંદુ-મુસ્લિમના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget