શોધખોળ કરો

મમતા આજે કેટલા વાગ્યે લેશે મુખ્યમંત્રીપદના શપથ ? જાણો ભાજપના ક્યા દિગ્ગજ નેતાને અપાયું નિમંત્રણ ?

મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM બનવા જઈ રહ્યા છે.

Mamata Banerjee Oath Ceremony: ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી આજે ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રાજભવનમાં શપથ લેશે. કોવિડ મહામારીને કારણે શપથ ગ્રહણ સમારોહ સાદગીભર્યો હશે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વિપક્ષના નેતા અબ્દુલ મન્નાન અને સીપીએના વરિષ્ઠ નેતા બિમાન બોસને કાર્યક્રમનું નિમંત્રણ મોકલવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહામારીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય રાજનીતિક પક્ષના નેતાઓને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે, રાજભવનમાં પાંચ મેના રોજ સવારે 10-45 કલાકે થનાર શપથગ્રહણ સમારોહમાં પાર્ટીના સાંસદ અભિષેક બેનર્જી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને પાર્ટીના વરિષ્ઠ નેતા ફિરહાદ હાકિમ પણ જોડાવવાની શક્યતા છે. શપથ ગ્રહણ બાદ તરત જ મમતા બેનર્જી રાજ્ય સવિવાલય જશે, જ્યાં તેમને કોલકાતા પોલીસ સલામી આપશે.

મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM બનવા જઈ રહ્યા છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

મમતા બેનર્જીને 3 મેના રોજ પાર્ટી વિધાયક સંઘના નેતા ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા પછી મમતાએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ કાર્યક્રમ સામાન્ય રાખવામાં આવશે.

2 મેના રોજ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને TMC ફરી એકવાર સત્તામાં આવ્યું છે. જોકે, પરિણામ પછી ઘણા વિસ્તારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું હતું.

બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી. બાદમાં 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.

લેફ્ટનું કાર્યકાળ પુરૂ થતા મમતાની તૃણમૂલને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરી રહી છે. આ વખતે પણ તેઓએ પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement

વિડિઓઝ

Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
Embed widget