શોધખોળ કરો

મહાશિવરાત્રી પહેલાં બરફે કર્યો કેદારનાથ ધામનો શણગાર, જાણો ક્યારે ખુલશે કેદારનાથ મંદિરનાં કપાટ

આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ ખાસ અવસરે હિમાલયની ગોદમાં વસેલા ભગવાન કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ અને ઉખીમઠથી કૈલાશ જવાની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીની જાહેરાત પણ કરવામાં આવશે.

8 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને શણગારાયુંઃ

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે, શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરમાં રાવલ ભીમાશંકર લિંગ, મંદિર સમિતિના અધિકારીઓ, વિદ્વાન આચાર્યોની હાજરીમાં પંચાંગની ગણતરી પ્રમાણે કેદારનાથના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવશે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભગવાન કેદારનાથના શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ જ સમયે, શિવરાત્રી પહેલાં કેદારનાથ મંદિરને બરફે શણગાર્યુ છેં. કેદારનાથ ધામમાં પાંચ ફૂટ સુધી બરફ જામ્યો છે. કેદારનાથ ધામમાં ચારે તરફ માત્ર બરફ જ બરફ છવાયેલો છે.

કોવિડ ગાઈડલાઈનનું પાલનઃ
આ ઉજવણી દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તો પૂજા, જલાભિષેક, કીર્તન ભજન કરશે. આ પ્રસંગે દિલ્હીના ભક્તો દ્વારા વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજારી બાગેશ લિંગે જણાવ્યું કે, મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથના કપાટ ખોલવા અને પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીના ઉખીમઠથી કૈલાશ જવા ક્યારે રવાના થશે તેની તારીખ જણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્યા બાદ યાત્રા અટકી પડી હતી. આથી આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યુ હોવાથી સ્થાનિક તીર્થધામના પૂજારીઓ અને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના તહેવારને લઈને કેદારનાથ, મદમહેશ્વર, વિશ્વનાથ મંદિર, ગુપ્તકાશી અને ઓમકારેશ્વર મંદિરમાં મુખ્ય પૂજારીઓ ઉપસ્થિત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Embed widget