શોધખોળ કરો

મહાશિવરાત્રી પહેલાં બરફે કર્યો કેદારનાથ ધામનો શણગાર, જાણો ક્યારે ખુલશે કેદારનાથ મંદિરનાં કપાટ

આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ ખાસ અવસરે હિમાલયની ગોદમાં વસેલા ભગવાન કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ અને ઉખીમઠથી કૈલાશ જવાની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીની જાહેરાત પણ કરવામાં આવશે.

8 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને શણગારાયુંઃ

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે, શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરમાં રાવલ ભીમાશંકર લિંગ, મંદિર સમિતિના અધિકારીઓ, વિદ્વાન આચાર્યોની હાજરીમાં પંચાંગની ગણતરી પ્રમાણે કેદારનાથના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવશે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભગવાન કેદારનાથના શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ જ સમયે, શિવરાત્રી પહેલાં કેદારનાથ મંદિરને બરફે શણગાર્યુ છેં. કેદારનાથ ધામમાં પાંચ ફૂટ સુધી બરફ જામ્યો છે. કેદારનાથ ધામમાં ચારે તરફ માત્ર બરફ જ બરફ છવાયેલો છે.

કોવિડ ગાઈડલાઈનનું પાલનઃ
આ ઉજવણી દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તો પૂજા, જલાભિષેક, કીર્તન ભજન કરશે. આ પ્રસંગે દિલ્હીના ભક્તો દ્વારા વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજારી બાગેશ લિંગે જણાવ્યું કે, મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથના કપાટ ખોલવા અને પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીના ઉખીમઠથી કૈલાશ જવા ક્યારે રવાના થશે તેની તારીખ જણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્યા બાદ યાત્રા અટકી પડી હતી. આથી આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યુ હોવાથી સ્થાનિક તીર્થધામના પૂજારીઓ અને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના તહેવારને લઈને કેદારનાથ, મદમહેશ્વર, વિશ્વનાથ મંદિર, ગુપ્તકાશી અને ઓમકારેશ્વર મંદિરમાં મુખ્ય પૂજારીઓ ઉપસ્થિત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget