શોધખોળ કરો

'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી

લોકસભામાં આજે પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું

લોકસભામાં આજે પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે સેનાએ ઓપરેશન મહાદેવમાં પહલગામના ગુનેગારોને ઠાર માર્યા છે. તેમણે ગૃહને માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાની હોવાના પુરાવા વિશે પણ માહિતી આપી હતી.

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ સેનાની બહાદુરીને સલામ કરી અને કહ્યું હતું કે સ્વતંત્રતા અહિંસાના આંદોલનથી મળી પરંતુ 1948માં પાકિસ્તાન તરફથી પહેલી ઘૂસણખોરી થઈ ત્યારથી સેનાએ આપણી અખંડિતતાને અકબંધ રાખવામાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મંત્રીઓએ બધા પાસાઓની ગણતરી કરી, ઇતિહાસનો પાઠ પણ શીખવ્યો, પરંતુ એક વાત રહી ગઈ. પહલગામમાં હુમલો કેવી રીતે થયો, કેમ થયો? આ પ્રશ્ન હજુ પણ પરેશાન કરી રહ્યો છે.

પ્રિયંકા ગાંધીએ શુભમ દ્વિવેદીની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે લોકો સરકાર પર વિશ્વાસ કરીને પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડી દીધા. હુમલા માટે કોણ જવાબદાર છે? શું નાગરિકોની સુરક્ષા સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી, શું ગૃહ પ્રધાનની જવાબદારી નથી? તેમણે TRFની સ્થાપના, તેની ગતિવિધિઓ અને તેને આતંકવાદી સંગઠન ગણાવવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે એવી કોઈ સરકારી એજન્સી નથી જેને ખ્યાલ હોય કે આવા ભયાનક હુમલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શું આ એજન્સીઓની નિષ્ફળતા છે કે નહીં? આ એક મોટી નિષ્ફળતા છે. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું? રાજીનામાની વાત તો છોડી દો તેમણે જવાબદારી પણ લીધી નથી. તમે ઇતિહાસની વાત કરો છો, હું વર્તમાનની વાત કરીશ. તમે 11 વર્ષથી સત્તામાં છો. ગઈકાલે હું જોઈ રહી હતી જ્યારે ગૌરવ ગોગોઈ જવાબદારી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે રાજનાથ સિંહ માથું હલાવી રહ્યા હતા, પરંતુ ગૃહમંત્રી હસતા હતા. તેમણે ગઈકાલે કહ્યું હતું કે મુંબઈ હુમલા પછી મનમોહન સરકારે કંઈ કર્યું નહીં. જ્યારે ઘટના ચાલી રહી હતી ત્યારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક બચી ગયો હતો જેને પકડવામાં આવ્યો હતો અને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું હતું. ઉરી-પુલવામા સમયે રાજનાથ ગૃહમંત્રી હતા, આજે તેઓ સંરક્ષણ મંત્રી છે. અમિત શાહના સમયમાં મણિપુર સળગી રહ્યું છે, દિલ્હી રમખાણો થયા, પહલગામમાં હુમલો થયો અને આજે પણ તેઓ ગૃહમંત્રી છે. શા માટે? દેશ જાણવા માંગે છે. પહલગામ હુમલો થયો, બધા એક થયા. જો ફરીથી આવું થાય, તો આપણે ફરીથી સાથે ઉભા રહીશું. જો દેશ પર હુમલો થાય તો આપણે બધા સરકાર સાથે ઉભા રહીશું. ઓપરેશન સિંદૂરમાં સેના બહાદુરીથી લડી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
Embed widget