![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bihar Political Crisis: નીતિશ કુમાર રાજભવનમાં લેશે સીએમ પદની શપથ, જાણો શું છે અપડેટસ
બિહારનું રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ થતું જણાય છે. નીતિશ કુમાર ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.સૂત્રોએ દાવો કર્યો છે કે નીતિશ કુમાર અને ભાજપને 128 ધારાસભ્યોનું સમર્થન છે.
![Bihar Political Crisis: નીતિશ કુમાર રાજભવનમાં લેશે સીએમ પદની શપથ, જાણો શું છે અપડેટસ jdu- Leader nitish kumar will take oath as cm at bihar raj bhawan to form nda government Bihar Political Crisis: નીતિશ કુમાર રાજભવનમાં લેશે સીએમ પદની શપથ, જાણો શું છે અપડેટસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/043f5286ec5c458d42e5cad1d0d0dc2e170634112177181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bihar Political Crisis:બિહારમાં હાલ રાજકારણ ગરમાયુ છે. આ અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ સંજોગો વચ્ચે થોડું થોડું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. આરજેડી અને જેડીયુ વચ્ચેનું અંતર વધી ગયું છે અને સીએમ નીતીશ ભાજપની નજીક થઈ ગયા છે. તે જ સમયે, બિહારના રાજકારણને લઈને શનિવારે એક સમાચાર આવી રહ્યા છે. એબીપી ન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર રવિવારે સાંજે પટનાના રાજભવનમાં સીએમ તરીકે શપથ લઈ શકે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે નીતિશ કુમાર અને ભાજપને 128 ધારાસભ્યોનું સમર્થન છે.
નીતિશ કુમારે પોતાનું વલણ બદલ્યું છે
બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ નીતિશ કુમારે ફરી એકવાર પોતાનું વલણ બદલ્યું છે અને ભાજપની આગેવાની હેઠળના એનડીએમાં પાછા ફરવાના સંકેત આપ્યા છે, ત્યારે શાસક મહાગઠબંધનમાં અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ રહ્યા હોવાનું જણાય છે. રાજ્યમાં રાજકીય અનિશ્ચિતતા અંગે ચાલી રહેલી અટકળોને વધુ બળ મળ્યું જ્યારે નીતિશ કુમારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અહીં રાજભવન ખાતે આયોજિત અલ્પાહાર સમારોહમાં ભાગ લીધો હતો, પરંતુ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે હાજરી આપી ન હતી. .
ભાજપે બેઠક બોલાવી છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે જેડીયુ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બિહારના આ વિકાસ પર મીટિંગ કરી રહ્યા છે. ભાજપના નેતા પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહ જેવા સાથી પક્ષોના પણ સંપર્કમાં છે. દરમિયાન, બિહારના શાસક મહાગઠબંધનમાં ગરબડની અટકળો વચ્ચે, વિપક્ષી પાર્ટી ભાજપે શનિવારે સાંસદો અને રાજ્ય વિધાનસભાના સભ્યોની બેઠક બોલાવી છે. બીજેપીના રાજ્ય એકમના અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને આ અટકળો અંગે પૂછવામાં આવ્યું કે શું ભાજપ JDU સાથે ફરીથી ગઠબંધન કરવા તૈયાર છે? તેના પર તેમણે કહ્યું કે અમારા સ્તરે આવી કોઈ વાત કરવામાં આવી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)