![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત BJPના ટોચના નેતાના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ માટે ભાજપમાંથી જ કોઈએ ના કરી મદદ, આ નેતાએ શું કર્યું ?
ભાજપના અનુસૂચિત જાતિના આગેવાન નરેશ પરમારે મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ પરમારના પરિવારમાં પણ કોરોના સંક્રમણ જણાતા ટેસ્ટ માટે સ્થાનિક નેતાઓએ અસહાયતા રજૂ કરી હતી.
![ગુજરાત BJPના ટોચના નેતાના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ માટે ભાજપમાંથી જ કોઈએ ના કરી મદદ, આ નેતાએ શું કર્યું ? Gujarat BJP leader Naresh Parmar resignation from his post after not happy from corona treatment in state ગુજરાત BJPના ટોચના નેતાના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ માટે ભાજપમાંથી જ કોઈએ ના કરી મદદ, આ નેતાએ શું કર્યું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/04/369c9f20c13bc12c7ced18ba273751c7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.
કોરોના મહામારી દરમ્યાન સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ કરી અનુસૂચિત જાતિના જિલ્લા મોરચા પ્રમુખે રાજીનામું ધર્યું છે. ભાજપના અનુસૂચિત જાતિના આગેવાન નરેશ પરમારે મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ પરમારના પરિવારમાં પણ કોરોના સંક્રમણ જણાતા ટેસ્ટ માટે સ્થાનિક નેતાઓએ અસહાયતા રજૂ કરી હતી.
સરકારની નબળી કામગીરીથી લાગી આવતા અને મૃત્યુના આંકને જોઈ દુઃખી થયાનુ રાજીનામામાં જણાવ્યું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને વ્હોટસેપ દ્વારા રાજીનામું મોકલ્યું.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884, સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638, રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ 8 કેસ સાથે કુલ 12545 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)