![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehsana : યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં ચકચાર, હત્યાની આશંકા
મંડાલી ગામના યુવાનની લાશ મળી આવી છે. શરીર પર મૂઢ માર મારવાના નિશાન મળી આવ્યા છે. ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
![Mehsana : યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં ચકચાર, હત્યાની આશંકા Mehsana : Youngster dead body found by police near Mehsana, doubt of murder Mehsana : યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં ચકચાર, હત્યાની આશંકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/b83c165d5ee52ab09db0607128ac8383_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણાઃ મહેસાણાના ભાસરીયા પાસેથી યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મંડાલી ગામના યુવાનની લાશ મળી આવી છે. યુવાનના શરીર પર મૂઢ માર મારવાના નિશાન મળી આવ્યા છે. ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
જોકે, યુવક નિર્વસ્ત્ર હાલતમાં અહીં કેવી રીતે આવ્યો તેમજ તેની હત્યા થઈ છે તો કોણે અને કેમ કરી તે સમગ્ર પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Mehsana : કેનાલમાં ઝંપલાવીને યુવકે કરી લીધો આપઘાત, યુવતી સહિત ત્રણ શખ્સોને આપ્યા હતા રૂપિયા
મહેસાણાઃ કડી રુદ્ધ કુટીર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાથ ઉછીના આપેલા પૈસા પરત નહીં આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ શખ્સ સહિત એક મહિલાને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. બીજી બાજુ 2 લોકોને પૈસા ચૂકવવાના હતા.
આપેલ પૈસા પરત નહીં આવતા અને બીજી બાજુ કડક ઉઘરાણીને કારણે ત્રસ્ત થઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પૈસા લઈ પરત નહીં કરનાર અને પૈસા માટે કડક ઉઘરાણી કરનાર મહિલા સહિત 4 સામે આપઘાત માટે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Rajkot : 28 વર્ષીય પરણીતાએ બે માસુમ બાળકો સાથે આત્મવિલોપન કરતાં નાના એવાં ગામમાં અરેરાટી
રાજકોટઃ રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 28 વર્ષીય પરણીતાએ બે માસૂમ બાળકો સાથે આત્મવિલોપન કરી લીધું હોવાનું સામે આવ્યું છે. ગૃહક્લેશમાં માતાએ પોતાના સંતાનો સાથે સળગીને આપઘાત કરી લીધો છે.
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષની દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે બાળકો ધવલ અને મોહિત સાથે આત્મહત્યા કરી લીધી છે. આપઘાતને પગલે પરિવાર અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. મહિલાના પતિએ કહ્યું મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી. વહેલી સવારે સમગ્ર ઘટના બની. DCP સહિતના પોલીસે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)