શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશાના આપઘાત કેસમાં મોદી સરકારના આ મંત્રીની થશે ધરપકડ ? શું નોંધાયો કેસ ?

દિશા સાલિયાનના મૃત્યુને લઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણે વારંવાર શિવસેના અને મહાવિકાસ આઘાડી સરકાર પર પ્રહારો કરતા રહ્યાં છે.

મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ફરી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.  નારાયણ રાણે અને તેમના પુત્ર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુને લઈને નિવેદન આપ્યું હતું,  જેના પર દિશાના માતા-પિતાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલામાં રાજ્ય મહિલા આયોગે માલવણી પોલીસ સ્ટેશનને તપાસ માટે પણ કહ્યું હતું. દિશાના પરિવારની ફરિયાદ બાદ પિતા-પુત્ર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. નિવેદનો બાદ હવે તેમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે માલવણી પોલીસ સ્ટેશને કેન્દ્રીય મંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસે રાણેને પોલીસ સ્ટેશન આવીને તેમનું નિવેદન નોંધવવા કહ્યું છે. આ સંદર્ભે તેમને 4 માર્ચે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવાયું છે. આ સાથે જ નિતેશ રાણેને 3 માર્ચે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.

દિશાના પરિવારે કરી હતી ફરિયાદ 
પોલીસના જણાવ્યા અનુસાર, દિશાની માતાની ફરિયાદના આધારે  માલવણી પોલીસે IPC કલમ 500, 509 અને IT એક્ટ 67 હેઠળ કેસ નોંધ્યો છે. દિશાની માતાએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના પ્રકરણ દરમિયાન આ નેતાઓએ દિશા વિશે અભદ્ર નિવેદનો કરીને તેની પુત્રીને બદનામ કરી હતી. આ મામલામાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે કહ્યું કે દિશાના ઓટોપ્સી રિપોર્ટ અનુસાર દિશા પર બળાત્કાર થયો નથી અને તે ગર્ભવતી પણ નથી. આથી પોલીસે દિશાના મૃત્યુ અંગે ખોટી અને પાયાવિહોણી માહિતી આપવા બદલ નારાયણ રાણે અને ધારાસભ્ય નિતેશ રાણે સામે કાર્યવાહી કરવી જોઈએ.

નારાયણ રાણેએ  કર્યો હતો આક્ષેપ
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેએ થોડા દિવસો પહેલા દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે દિશા સાલિયાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર અમારા પરિચિત છે, અમારી પાસે બધી માહિતી છે. રાણેએ એમ પણ કહ્યું કે સાવન નામનો વ્યક્તિ સુશાંત સિંહ રાજપૂતના ઘરે રહેતો હતો, તે અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયો? તેમણે એમ પણ કહ્યું કે, દિશા સાલીયનના બિલ્ડીંગનો ચોકીદાર પણ ગાયબ છે, સોસાયટીના મુલાકાતી રજીસ્ટરના પાના પણ ગાયબ છે, આવું કેમ થયું? રાણેએ આક્ષેપ કર્યો હતો કે દિશા સાલિયાનની આત્મહત્યાનો મામલો હજુ પૂરો થયો નથી. દિશા સાલિયાનના મૃત્યુને લઈને  કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણે શિવસેના અને મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યા છે. ભૂતકાળમાં, તેમણે દાવો કર્યો હતો કે દિશાનું મૃત્યુ આત્મહત્યા નથી પરંતુ તેનો બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે આ અંગે વધુ પુરાવા છે.આ કેસની તપાસ પૂર્ણ થઈ નથી. આવું કેમ થયું?

 અગાઉ પણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી
ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેની ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો ત્યારનો છે જ્યારે તેઓ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન  તેમની યાત્રા રાયગઢના મહાડ પહોંચી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંદર્ભમાં વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કેવા મુખ્યમંત્રી છે જેને પોતાના દેશના સ્વતંત્રતા દિવસની પણ ખબર નથી. જો હું ત્યાં હોત, તો મેં તેમને કાન નીચે થપ્પડ મારી હોત. આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં નારાયણ રાણે વિરૂદ્ધ દેખાવો શરૂ થયા અને તેમની ધરપકડની માંગ ઉઠવા લાગી હતી. ત્યરબાદ તેમની સામે નાશિકમાં કેસ નોંધવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વર્ષ 2026ની PM મોદીની પહેલી મન કી બાત, સ્ટાર્ટ અપ સહિત આ મુ્દ્દે કરી મહત્વની વાત
વર્ષ 2026ની PM મોદીની પહેલી મન કી બાત, સ્ટાર્ટ અપ સહિત આ મુ્દ્દે કરી મહત્વની વાત
બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાનો સિલસિલો યથાવત, ગરેજમાં સૂતેલા કર્મચારીને જીવતો સળગાવ્યો
બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાનો સિલસિલો યથાવત, ગરેજમાં સૂતેલા કર્મચારીને જીવતો સળગાવ્યો
પહાડોમાં ભારે હિમ વર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, આ રાજ્યોમાં કોલ્ડવેવ સાથે હિમ વર્ષોનું એલર્ટ
પહાડોમાં ભારે હિમ વર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, આ રાજ્યોમાં કોલ્ડવેવ સાથે હિમ વર્ષોનું એલર્ટ
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી

વિડિઓઝ

Rabari Samaj Mahasammelan : ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન
Republic Day 2026 : પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, 14 પોલીસ કર્મીને પ્રશંસનીય સેવા મેડલ
Surat news: સુરતમાં નાઈજીરીયન મહિલા 2.30 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વર્ષ 2026ની PM મોદીની પહેલી મન કી બાત, સ્ટાર્ટ અપ સહિત આ મુ્દ્દે કરી મહત્વની વાત
વર્ષ 2026ની PM મોદીની પહેલી મન કી બાત, સ્ટાર્ટ અપ સહિત આ મુ્દ્દે કરી મહત્વની વાત
બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાનો સિલસિલો યથાવત, ગરેજમાં સૂતેલા કર્મચારીને જીવતો સળગાવ્યો
બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાનો સિલસિલો યથાવત, ગરેજમાં સૂતેલા કર્મચારીને જીવતો સળગાવ્યો
પહાડોમાં ભારે હિમ વર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, આ રાજ્યોમાં કોલ્ડવેવ સાથે હિમ વર્ષોનું એલર્ટ
પહાડોમાં ભારે હિમ વર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત, આ રાજ્યોમાં કોલ્ડવેવ સાથે હિમ વર્ષોનું એલર્ટ
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
પાકિસ્તાન પણ કરશે ટી-20 વર્લ્ડકપનો બહિષ્કાર? બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી
દિલ્લીમાં પરેડ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? હવામાન વિભાગનું કાતિલ ઠંડીનું એલર્ટ
દિલ્લીમાં પરેડ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ? હવામાન વિભાગનું કાતિલ ઠંડીનું એલર્ટ
'ધુરંધર' એક્ટ્રેસ સારા અર્જુને બ્લૂ સાડીમાં બતાવી અદાઓ, આપ્યા કાતિલ પોઝ
'ધુરંધર' એક્ટ્રેસ સારા અર્જુને બ્લૂ સાડીમાં બતાવી અદાઓ, આપ્યા કાતિલ પોઝ
બનાસકાંઠાના ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન, સમાજ ઘડશે સામાજિક બંધારણ
બનાસકાંઠાના ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન, સમાજ ઘડશે સામાજિક બંધારણ
T20 World Cup 2026: પાકિસ્તાન બહાર થતા કઈ ટીમને મળશે તક અને કેમ? જાણો વિગતે
T20 World Cup 2026: પાકિસ્તાન બહાર થતા કઈ ટીમને મળશે તક અને કેમ? જાણો વિગતે
Embed widget