શોધખોળ કરો

Virus Alert:કોરોના સંક્રમણથી વધુ જીવલેણ છે આ વાયરસ ઇન્ફેકશન, આ રાજ્યોને કરાયા એલર્ટ, જાણો પ્રારંભિક લક્ષણો

કેરળ સરહદને અડીને આવેલા કર્ણાટકના જિલ્લાઓમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છ કેસ નોંધાયા છે

 Virus Alert:કેરળમાં નિપાહ વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વધુ એક કેસ મળ્યા બાદ, રાજ્યમાં આ સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે જ્યારે વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ સરહદને અડીને આવેલા કર્ણાટકના જિલ્લાઓમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છ કેસ નોંધાયા છે જેમાં બેના મોત થયા છે. બીજી તરફ, ચેપગ્રસ્ત લોકોના ગામોને ક્વોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા બે લોકોના સંપર્કમાં આવેલા 15 લોકોને હાઈ રિસ્ક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. તેમના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ચેપગ્રસ્તના સંપર્કમાં આવેલા અંદાજે 950 લોકોમાંથી 225 લોકોને પણ ઉચ્ચ જોખમની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ કોન્ટેક્ટ લિસ્ટમાં 287 હેલ્થ વર્કર પણ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્યની ટીમો દ્વારા મોકલવામાં આવેલી ટીમ હવે ગ્રાઉન્ડ પર ઉતરીને , પરીક્ષણ અને નમૂનાઓ એકત્રિત કરી રહી છે. ડૉ. માલા છાબરાના નેતૃત્વમાં કેન્દ્રીય ટીમ રાજ્યની મદદ માટે અહીં પહોંચી છે. કેન્દ્ર અને ICMR-NIV એ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ માટે કોઝિકોડ ખાતે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. આ ટીમને બાયોસેફ્ટી લેવલ 3 (BSL-3) સાથે મોબાઇલ યુનિટ સાથે મોકલવામાં આવી છે.

કર્ણાટકના ચાર જિલ્લામાં પણ એલર્ટ

કેરળમાં નિપાહ વાયરસને જોતા કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગર અને મૈસૂરમાં એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓ કેરળ સરહદને અડીને આવેલા છે.

આ લક્ષણો દેખાય તો સાવધાન

નિપાહ વાયરસના શરૂઆતના  લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા  શામેલ છે. જો સ્થિતિ વધુ વણશે તો એટલે કે ગંભીર લક્ષણોની વાત કરીએ તો  ઉલ્ટી, પેટમાં દુખાવો,  અને દર્દી કોમામાં પણ જઇ શકે છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, નિપાહથી મરનારા લોકોની સંખ્યા 40 થી 75 ટકાની વચ્ચે છે.

આ પણ વાંચો

Vadodara: વડોદરા કોગ્રેસમાં બે દિવસમાં ત્રીજા નેતાએ આપ્યું રાજીનામું, પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે

Aravalli: ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટ થતા ખળભળાટ, પત્નીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર

અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ

NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget