શોધખોળ કરો

Joshimath Sinking: જોશીમઠ સંકટ સમાપ્ત? 20 જાન્યુઆરી પછી નથી પડી કોઈ તિરાડ, સર્વેમાં ખુલાસો

Joshimath Sinking: જોશીમઠને  લઈને કરવામાં આવેલા સત્તાવાર સર્વેમાં એવું સામે આવ્યું છે કે 20 જાન્યુઆરી પછી કોઈ નવી તિરાડ દેખાઈ નથી. જોકે સ્થાનિક લોકો આ સર્વે પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Joshimath Sinking: સદીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહેલા જોશીમઠથી આખરે રાહતના સમાચાર આવ્યા છે. સત્તાવાર સર્વેમાં જાણવા મળ્યું છે કે 20 જાન્યુઆરીથી જોશીમઠ શહેરમાં ભૂસ્ખલનને કારણે કોઈ નવી તિરાડ પડી નથી. ચમોલી જિલ્લા પ્રશાસને શનિવારે આ અંગે કોઈ માહિતી આપી નથી.

પ્રશાસન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 863 મકાનોમાં તિરાડો જોવા મળી છે જેમાંથી 181 અત્યંત જોખમી સ્થિતિમાં છે. 20 જાન્યુઆરીએ પણ આંકડા સમાન હતા અને ત્યારથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. માહિતી આપતા ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે, "અમારો સર્વે પૂર્ણ થઈ ગયો છે. અમે આંકડાઓની તુલના કરી રહ્યા છીએ. જો કોઈ ફેરફાર થશે તો પણ તે મામૂલી હશે."

લોકોએ સર્વે પર ઉઠાવ્યા સવાલ 

જોશીમઠમાં ભૂસ્ખલન મુદ્દે સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવનાર સામાજિક સંગઠન જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સતીએ સરકારી ડેટાને ખોટો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સમિતિને લગભગ દરરોજ ઘરોમાં તિરાડોની માહિતી મળે છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર જોશીમઠની કટોકટી પર માત્ર કાગળ પર કામ કરી રહી છે. સતીએ કહ્યું, “તેઓ એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અહીં બધું બરાબર છે. અગાઉ, તેઓએ જોશીમઠ કટોકટી પર તકનીકી એજન્સીઓના અહેવાલો જાહેર કર્યા ન હતા. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીનું કહેવું હાસ્યાસ્પદ છે કે 65-70 ટકા સ્થાનિક લોકો સામાન્ય જીવન જીવે છે. તેમના બેદરકાર વલણને કારણે નગરના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સરકાર પર વસ્તુઓ છૂપાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે જો તેઓએ તેને છુપાવવાનો પ્રયાસ કરવાને બદલે સ્વીકાર કર્યો હોત તો આ સ્થિતિ ક્યારેય ન આવી હોત.

લોકોએ રેલી કાઢી હતી

સતીએ જણાવ્યું હતું કે શહેરમાં 20 જાન્યુઆરીએ અને તે પછીના દિવસોમાં પણ હિમવર્ષા અને વરસાદ થયો હતો. તેમણે પૂછ્યું કે જો જોશીમઠમાં બધું બરાબર છે તો ગઈકાલે શહેર અને આસપાસના ગામડાના હજારો લોકો કેમ રસ્તા પર ઉતરી આવ્યા? જોશીમઠ કટોકટીથી પીડિત પરિવારોને અપૂરતું વળતર ન મળવાથી નારાજ સ્થાનિક રહેવાસીઓએ શુક્રવારે જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના બેનર હેઠળ રેલી કાઢી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget