![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Munawwar Rana News: મુનવ્વર રાણાની તબિયત બગડી, અપોલોમાં વેન્ટિલેટર પર, 72 કલાક ખૂબ જ મહત્વના
જાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી છે. તેમને લખનઉની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
![Munawwar Rana News: મુનવ્વર રાણાની તબિયત બગડી, અપોલોમાં વેન્ટિલેટર પર, 72 કલાક ખૂબ જ મહત્વના Poet munavvar rana health update next 72 hours are very important Munawwar Rana News: મુનવ્વર રાણાની તબિયત બગડી, અપોલોમાં વેન્ટિલેટર પર, 72 કલાક ખૂબ જ મહત્વના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/25/b74c5449dc935de215f29617efecbc1f168500632393581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Munawwar Rana Health Update: જાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી છે. તેમને લખનઉની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મુનવ્વર રાણાની તબિયત અચાનક બગડી હતી, બાદ તેમને રાજધાની લખનૌની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ હાજર છે. તબીબોનું કહેવું છે કે રાણા માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુનવ્વર રાણાની પુત્રી સુમૈયા રાણાએ પોતે તેના પિતાની તબિયત વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરતા સુમૈયાએ જણાવ્યું છે કે, તેના પિતાની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હતી, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો, ત્યારબાદ જ્યારે તેમની તબિયત વધુ બગડી તો પરિવારના સભ્યોએ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જે બાદ તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સુમૈયાએ લોકોને પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ
મુનવ્વર રાણાની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ જ હતી. ભૂતકાળમાં, તેમને પેટમાં દુખાવાની ફરિયાદ પણ થઈ હતી, તેમને કિડનીની સમસ્યા હતી જેના કારણે તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. આ વખતે તેમને ડાયાલિસિસ દરમિયાન પેટમાં દુખાવો થયો હતો. સુમૈયાએ કહ્યું કે ડોક્ટર્સ સતત તેના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની સારવાર ચાલી રહી છે અને તે ડોક્ટરોની દેખરેખમાં છે. જો 72 કલાક તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવ્યા છે.
મુનવ્વર રાણા દેશના જાણીતા શાયરા છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા છે. છેલ્લા થોડા સમય પહેલા તેઓ સત્તા વિરોધી નિવેદનોના કારણે પણ ચર્ચામાં હતા. મુનવ્વર રાણાના પ્રશંસકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
Bollywood Kissa: જ્યારે ક્રિકેટ ક્લબમાં સામેલ થવા માટે બિગ બીએ માતા પાસે માંગ્યા હતા બે રૂપિયા, જાણો શું મળ્યો હતો જવાબ?
Amitabh Bachchan Life: બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને વર્ષોની મહેનત બાદ આ સ્થાન હાંસલ કર્યું છે. આ જ કારણ છે કે આજે કરોડો લોકો તેમના ચાહકો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમના બાળપણનો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.
અત્યાર સુધી તમે અમિતાભ બચ્ચનની પ્રોફેશનલ લાઈફની વાતો તો સાંભળી જ હશે. આજે અમે તમારા માટે તેમના બાળપણનો એક રસપ્રદ કિસ્સો જણાવી રહ્યા છીએ જે તેમની માતા સાથે સંકળાયલો છે. આ ઘટનાનો ઉલ્લેખ બિગ બીએ તેમના ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સીઝનમાં કર્યો હતો.
અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા સમયથી લોકપ્રિય ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શોના દરેક એપિસોડમાં અભિનેતા તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ શેર કરે છે. એક એપિસોડમાં બિગ બીએ તેમની શાળા સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારે તેમને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો. તે ઇચ્છતા હતા કે તે શાળાની ક્રિકેટ ક્લબમાં જોડાય. એટલા માટે તેમણે તેમની માતા પાસે આ માટે 2 રૂપિયા માંગ્યા. પરંતુ તે સમયે 2 રૂપિયાનું મહત્વ પણ ઘણું વધારે હતું.
આ જ કારણ હતું કે અભિનેતાની માતા પાસે તેને આપવા માટે પૈસા નહોતા. જ્યારે તેમણે તેમની માતાને બે રૂપિયા આપવાનું કહ્યું ત્યારે તેજી બચ્ચને કહ્યું કે તેમની પાસે એટલા પૈસા નથી. આ પછી ભાવુક થઈને અમિતાભે કહ્યું કે તે સમયે તે ન મળવાને કારણે આજ સુધી તે 2 રૂપિયાની કિંમત સમજે છે.અમિતાભ બચ્ચન છેલ્લે અનુપમ ખેર અને બોમન ઈરાની સાથે ફિલ્મ ઉંચાઈમાં જોવા મળ્યા હતા. બહુ જલ્દી તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)