શોધખોળ કરો

સૌરાષ્ટ્રના શહેરની સ્કૂલમાં એક સાથે કોરોનાના 6 કેસથી ખળભળાટ, પહેલા પણ કેસ આવેલો પણ...

કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

મોરબીઃ ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે.

મોરબીની નવયુગ વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીને કોરોના પોઝીટીવ આવ્યો અને તેના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ લાગ્યો હતો. નવયુગ વિધાલય દ્વારા ૭ દિવસ માટે સ્કુલ બંધ કરવામાં આવી  છે. વિધાર્થીઓને ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા. 

 છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 548 કેસ  નોંધાયા છે. બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,487  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.55 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 1,94,376  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 72,  વડોદરા   કોર્પોરેશનમાં 34 ,  આણંદ 23, ખેડા 21, રાજકોટ કોર્પોરેશન 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 3,  મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર 2,  અમરેલી 1,ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1902  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 1891 નાગરિકો સ્ટેબલ છે. 8,18,487 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10116 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે પોરબંદરમાં 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 673 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6301 લોકોને પ્રથમ અને 43566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22155 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 121678 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,94,376 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,90,14,828 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget