![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘પાટીદારો ઈંડાં-નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો, સરદાર પટેલનું માથું શરમથી ન ઝૂકે તેનો ખ્યાલ રાખો’, BAPSના ક્યા સ્વામીએ આપ્યું નિવેદન ?
રાજકોટના જસદણમાં શનિવારે સાંજે પાટીદાર શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર આંદોલનમાં શહીદ વીરોના પ્રથમ સમારકનું અનાવરણ કરાયું હતું.
![‘પાટીદારો ઈંડાં-નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો, સરદાર પટેલનું માથું શરમથી ન ઝૂકે તેનો ખ્યાલ રાખો’, BAPSના ક્યા સ્વામીએ આપ્યું નિવેદન ? BAPSs Apurvamuni said Patidar young man should not stand on near Eggs and NonVeg lorry ‘પાટીદારો ઈંડાં-નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો, સરદાર પટેલનું માથું શરમથી ન ઝૂકે તેનો ખ્યાલ રાખો’, BAPSના ક્યા સ્વામીએ આપ્યું નિવેદન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/14/505019009643deaea7a1a1bdaa133975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં હાલમાં ચર્ચામાં એવા નોન-વેજ અને ઈંડાંનો મુદ્દો પણ ઉઠ્યો હતો. રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (BAPS)ના સ્વામી નારાયણ મંદિરના મહંત અપૂર્વ મુનિ સ્વામીએ પાટીદારોને ઈંડા અને નોનવેજ ખાવાનું બંધ કરવાનું કહીને અપીલ કરી કે, પાટીદાર સમાજનાં લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. તેમણે કહ્યું કે, સરદાર પટેલનું માથું શરમથી ન ઝૂકી જાય તેનો ખ્યાલ રાખો. તેમણે કહ્યું કે, ખૂબ જ હિંમત કરી આ નિવેદન કરી રહ્યો છું અને પાટીદાર સમાજ ઈંડા અને નોનવેજ ખાવાનું બંધ કરે એ જરૂરી છે.
રાજકોટના જસદણમાં શનિવારે સાંજે પાટીદાર શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર આંદોલનમાં શહીદ વીરોના પ્રથમ સમારકનું અનાવરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ અને ઊંઝા ઉમિયા સંસ્થાનના મણીભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ લાલજી પટેલ અને અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને નિવૃત કલેકટર મહેન્દ્ર પટેલ, પરેશ ગજેરા, દિલીપ સાબવા વગેરે પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું પાસના અગ્રણીઓ અને સ્થાનિક ખોડલધામ અને ઉમિયાધામ સમિતિએ આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરિયાનાં આડકતરી રીતે વખાણ કર્યાં હતાં. તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનું નામ લીધા વિના મંચ પર હાજર રહેલા હાર્દિક અને અલ્પેશ કથીરીયા તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં યુવાનોએ પોતાની તાકાત શું છે તે બતાવી દીધી છે અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે.
નરેશ પટેલે કહ્યું કે, વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ભૂખ હતી. યુવાનોની મહેનતથી અને મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રયત્નોથી આજે પાટીદારો એક થયા છે. રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હુંકાર કર્યો કે, પાટીદાર યુવાનોએ છેલ્લા 3-4 વર્ષમાં ઘણું કરી બતાવ્યું છે પણ ક્લાર્કથી કલેકટર અને રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદારો જ હોવા જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)