શોધખોળ કરો

કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો, કેટલા રૂપિયાનો ઝિંકાયો વધારો?

કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાનો થયો છ. તેજી બાદ સીંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે.

રાજકોટઃ કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાનો થયો છ. તેજી બાદ સીંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. આયાતી પામતેલમાં વધારો થતા અન્ય સાઇડ તેલોમાં પણ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 

નોંધનીય છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20% થી ઘટાડીને 7.5% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5% કરવામાં આવ્યો છે. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન 32.5% થી ઘટાડીને 17.5% કરવામાં આવી છે.

ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી 8.25%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5% હશે. ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલ પરની આયાત જકાતને તર્કસંગત બનાવી છે, NCDEX પર સરસવના તેલના વાયદાના વેપારને સ્થગિત કરવામાં આવ્યા છે અને સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે, તેમ સરકારે વધુમાં જણાવ્યું હતું.

 

દેશની જનતાને ફરી એક વખત મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો સરકાર પ્લાન બનાવી રહી છે. વિશ્વમાં કાચા તેલના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણા દેશો કામ કરી રહ્યા છે. ભારતમાં કાચ તેલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે મોટી અર્થવ્યવસ્થા માફક પોતાની રણનીતિક તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારાની વચ્ચે મોદી સરકારે દિવાળીના તહેવાર પર દેશની જનતાને મોટી રાહત આપી હતી. એ સમયે સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.


ભારત ક્રૂડ ઓયલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડીને પોતાના તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે.  સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રણનીતિક ભંડારથી કાઢવામાં આવતા આ કાચા તેલની મેંગલોર રિફાનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને હિન્દુસ્તાન  રણનીતિ તેલ ભંડારથી પાઈપલાઈન દ્વારા જોડાયેલી છે. આ અધિકારીએ કહ્યું કે, તેના વિશે સત્તાવારા જાહેરાત ટૂંક સમયમાં જ થશે. તેમણે કહ્યું કે, 7-10 દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જરૂર પડવા પર ભારત પોતાના તેલ ભંડારમાંથી ક્રૂડ ઓયલ કાઢવાની પ્રક્રિયા પર નિર્ણય લઈ લેશે.

કોરોનાનો પ્રકોપ ઘટ્યો, છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ નવા કેસ

 


દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 51 હજાર 209 નવા કેસ નોંધાયા છે અને 627 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 15.88 ટકા પર આવી ગયો છે. મોટી વાત એ છે કે ગઈકાલથી દેશમાં 12 ટકા કેસ ઓછા થયા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget