શોધખોળ કરો

Vijay Rupani Funeral Live: રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન

Vijay Rupani Funeral Live: જેમાં તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે.

LIVE

Key Events
Ex Gujarat Chief Minister Vijay Rupanis Funeral With Full State Honours Today Vijay Rupani Funeral Live: રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન
વિજયભાઇ રૂપાણીના આજે અંતિમ સંસ્કાર
Source : ફોટોઃ abp asmita

Background

Vijay Rupani Funeral Live: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું હતું. જેમાં તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે, આજે સવારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઇ જવામાં આવશે અને સાંજે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.

મહત્વનું છે કે, અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા. 

ઉલ્લેખનીય છે કે તેમના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

22:17 PM (IST)  •  16 Jun 2025

રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં 'વિજયભાઈ તુમ અમર રહો'ના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા
રાજકોટ, જૂન 16, 2025 – રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે બપોરે રામનાથપરા સ્મશાન ખાતે હજારો શોકમગ્ન લોકોની ઉપસ્થિતિમાં પંચમહાભૂત વિલીન થયા. તેમના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.

વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના અનેક અગ્રણીઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. વિજયભાઈની અંતિમયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ, ત્યાં ત્યાં ઠેર ઠેર લોકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજમાર્ગો પર આશરે 6 કિલોમીટર સુધી 'વિજયભાઈ તુમ અમર રહો' ના નારા ગુંજી ઉઠ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતો હતો.

વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

16:17 PM (IST)  •  16 Jun 2025

રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધિ કરાશે

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીના આજે અંતિમ સંસ્કાર થશે, વિજય રૂપાણીનો પાર્થિવદેહ તેમના નિવાસ સ્થાને લઇ જવાઈ રહ્યો છે, નાગરિકોએ વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન કર્યા છે, થોડા સમયમાં નિવાસસ્થાને વિજયભાઈનો પાર્થિવ દેહ લવાશે, મહાદેવ મંદિરના પટાંગણમાં પાર્થિવ દેહ લવાશે, મોટી સંખ્યામાં નેતાઓ, સમર્થકો નિવાસસ્થાને પહોંચ્યા છે. રાજકીય સન્માન, ગાર્ડ ઓફ ઓનર અંતિમ વિદાય અપાશે. રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધિ કરાશે

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં યોગીવાળી?
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Friday worship: શુક્રવારે આ ખાસ વિધિથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ખુલી જશે ધન લાભનો માર્ગ!
Friday worship: શુક્રવારે આ ખાસ વિધિથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ખુલી જશે ધન લાભનો માર્ગ!
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે
Embed widget