શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા શહેરનું આ બજાર બપોર બાદ રહેશે બંધ, દોઢ મહિનામાં 25 વેપારીના મોત

રાજકોટના દાણાપીઠ વેપારીઓએ  હાલ્ફ ડે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.  દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન લંબાવ્યુ છે.  

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમજ અનેક શહેર-ગામો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. આવા સમયે રાજકોટના દાણાપીઠ વેપારીઓએ  હાલ્ફ ડે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.  દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન લંબાવ્યુ છે.  

દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટની દાણાપીઠમાં ત્રણ વાગ્યા બાદ lockdown કરવામાં આવશે. દાણાપીઠ વેપારીઓએ નિર્ણય લીધો છે. દાણાપીઠના મોટા ભાગના વેપારીઓનો એક સુર જોવા મળ્યો હતો. રાજકોટની દાણાપીઠમાં કોરોનાને કારણે દોઢ મહિનામાં 25 જેટલા વેપારીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી 20 તારીખ સુધી અડધા દિવસનું લોકડાઉન લંબાવાયું છે.   દ્વારકા ની બજારો દરોજ બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. પાલિકા પ્રમુખ દ્વારા વેપારીઓને અપીલ કરતા બંધ લંબાવાયું છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 


રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 18,  સુરત કોર્પોરેશન-7,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4,  રાજકોટ 7, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6,  જામનગર કોર્પોરેશમાં 8, સુરત 5, જૂનાગઢ 6, ભરુચ 2, પંચમહાલ 2, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 5,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-3,  આણંદ-1,  દાહોદ -1, કચ્છ 4, ખેડા 1, ગાંધીનગર  0, ભાવનગર 0, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહીસાગર 2, ગાંધીનગર કોર્પોરેશન 1, નવસારી-0, સાબરકાંઠા 3, અરવલ્લી 2, વલસાડ 0,  દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, મોરબી 0, પોરબંદર 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત સાથે કુલ 121 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2883,  સુરત કોર્પોરેશન-839,  વડોદરા કોર્પોરેશન 790,  મહેસાણામાં 483,  રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ કોર્પોરેશન 351,  જામનગર કોર્પોરેશમાં 348, સુરત 274, જૂનાગઢ 257, ભરુચ 248, પંચમહાલ 246, જામનગર 238, જૂનાગઢ કોર્પોરેશન 227,   ભાવનગર કોર્પોરેશમાં 224, ગીર સોમનાથમાં-211,  આણંદ-189,  દાહોદ -184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર  158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર કોર્પોરેશન 112, નવસારી-110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98,  દેવભૂમિ દ્વારકા-94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20 અને બોટાદમાં 14 કેસ સાથે કુલ  11084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 


 કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
Embed widget