શોધખોળ કરો

'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન

જયેશ રાદડિયાના યજમાનપદે 2 લાખથી વધુ લોકોની હાજરીમાં ઇતિહાસ રચાયો, સમાજના દાતાઓનો આભાર માન્યો, વિજય રૂપાણી અને સી.આર. પાટીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

Jamkandorana group wedding: રાજકોટના જામકંડોરણામાં લેઉવા પટેલ સમાજ દ્વારા 'પ્રેમનું પાનેતર' નામનો એક ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકો સાક્ષી બન્યા હતા.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ કાર્યક્રમની શરૂઆત મુખ્ય દાતાઓનો આભાર વ્યક્ત કરીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જામકંડોરણાની ભૂમિ પર લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના લગ્નનો ઇતિહાસ રચાયો છે. તેમણે સમાજના દાતાશ્રીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સમાજે તેમની માંગણી કરતાં પણ વધારે દાન આપ્યું છે. રાજકીય વ્યક્તિ હોવા છતાં, સમાજે તેમના પર વિશ્વાસ મૂકીને ખૂબ જ સહયોગ આપ્યો છે. જયેશ રાદડિયાએ હંમેશા લેઉવા પટેલ સમાજની ગરીબ દીકરીઓના સારી રીતે લગ્ન થાય તેવા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે.

તેમણે સમાજને સંદેશ આપ્યો કે સમાજ ગરીબ નથી, પરંતુ જો કામ કરવામાં આવે તો પૂરી તાકાતથી કરવું જોઈએ. તેઓ નબળા કામોમાં વિશ્વાસ ધરાવતા નથી. જામકંડોરણાની ભૂમિ પર તેમની તાકાત તેમના સ્વયંસેવકો છે. સમૂહ લગ્ન પૂરા થયા બાદ તેઓ ફરીથી રાજકારણમાં સક્રિય થશે તેમ પણ જણાવ્યું હતું.

જયેશ રાદડિયાએ સમાજના કેટલાક લોકોની ટીકાઓનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમુક લોકો સમાજના નામે ફેસબુક પર ખોટી વાતો ફેલાવે છે અને તેમના વિશે ખરાબ કોમેન્ટ્સ લખે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને લેઉવા પટેલ સમાજના નેતા બનવાની કોઈ ઈચ્છા નથી. આટલી મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં જોડાય તે જોઈને અમુક લોકોના પેટમાં દુખે છે તેવો કટાક્ષ પણ કર્યો હતો.

તેમણે સમાજ સેવાના કાર્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જામકંડોરણામાં હજારો દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને સમાજે જૂનાગઢ, નાથદ્વારા, દ્વારકા સહિત અનેક સ્થળોએ સમાજની વાડીઓ બનાવી છે. રાજકોટમાં 2500 દીકરીઓ અભ્યાસ કરે છે, જે સમાજ સેવાનું જ ઉદાહરણ છે. વિઠ્ઠલ રાદડિયાએ પાંચ સમૂહ લગ્ન કરાવ્યા હતા અને આજે તેમના દ્વારા 511 સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ટીકાકારોને ખુલ્લી ચેલેન્જ આપી કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ મેદાનમાં એકલા આવે, સમાજને વચ્ચે લાવવાની જરૂર નથી. કોરોના સમયમાં તેમણે કોવિડ સેન્ટર ઊભું કરીને દસ હજાર દર્દીઓની સેવા કરી હતી, જે પણ એક મોટી સમાજ સેવા હતી. તેમણે જણાવ્યું કે રાજનીતિનો સમય આવશે ત્યારે રાજનીતિ થશે, પરંતુ સમાજની વાત આવશે ત્યારે સમાજ જ સર્વોપરી રહેશે.

આગામી બે વર્ષમાં 700 લગ્ન કરાવવાનું અને હરદ્વાર અને મથુરામાં લેઉવા પટેલ સમાજના નિર્માણ કાર્યો પૂરા કરવાનું તેમનું લક્ષ્ય છે. હાલમાં પાંચ હજાર દીકરીઓ શિક્ષણ લઈ રહી છે અને હવેથી ધોરણ પાંચથી બાર સુધીની જે દીકરીઓના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોય અને ખેતી કરતા હોય તેમને વિના મૂલ્યે અભ્યાસમાં મદદ કરવામાં આવશે.

આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ રાદડિયા પરિવારના કાર્યોની પ્રશંસા કરી હતી અને સી.આર. પાટીલે આવા સમૂહ લગ્ન ક્યારેય ન જોયા હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મંત્રી રાઘવજી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને સફળ રહ્યો હતો.

આ પણ વાંચો...

જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget