શોધખોળ કરો

દિવાળીના તહેવારને લઇને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા?

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી. તે સિવાય જાહેરનામામાં
સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.            

તે સિવાય પેટ્રોલ પંપ,શાળા કોલેજ, ધાર્મિક સ્થળ, એરપોર્ટ, ગોડાઉન , હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દિવાળીની ઉજવણીને લઈ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટીમેઝર્સ એક્ટ 2013- 2014, 2016 તથા સુધારા વિધેયક 2021 માં કરવામાં આવેલ જોગવાઈઓ અંતર્ગત ફાયર સેફ્ટીના કાનૂની નિયમો અંતર્ગત ફટાકડાંના ઉત્પાદન કરનાર, સ્ટોરેજ કરનાર, કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરનાર તમામ એકમોએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા જરૂરી સલામતીના પગલાઓ લેવા જણાવવામાં આવ્યું છે. ફટાકડાના વેચાણ માટે આપવામાં આવેલ ફાયર સેફ્ટી સર્ટીફિકેટની નક્કી કરવામાં આવેલ સમય મર્યાદા સિવાય ફટકડાનો કોઇ પણ પ્રકારે વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરનાર માલિક કે તેના જવાબદાર સંબંધિતો સામે કાનૂની રાહે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જે અંગે ઉભી થનાર તમામ વિસંગતતા, જવાબદારીઓ બાબત જે-તે માલિકની કાનૂની અને નૈતિક જ્વાબદારી રહેશે.                      

ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિનો હાથ કે પગ દાઝી જાય, તો સૌથી પહેલાં એ ભાગ ઉપર ઠંડુ પાણી રેડવું જોઈએ અને ઘા પર હળદર લગાવવી જોઈએ. જેથી તે જગ્યાએ ફોડલી ન પડે.  સામાન્ય રીતે જોવામાં આવે છે કે, ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિ દાઝી જાય છે અથવા કપડાં બળી જાય છે, તો સૌથી પહેલા તેઓ તેને ધાબળાથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે, આ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે તેનાથી શરીર પર ઇન્ફેક્શન થઇ શકે છે. જો કોઈ ઈજાગ્રસ્ત થાય તો તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ પર કોલ કરો અને મેડિકલ હેલ્પ લો. ડોક્ટર સાથે યોગ્ય તપાસ કરાવી સારવાર કરાવો.          

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget