શોધખોળ કરો

Rajkot: મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન

રાજકોટ: ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ: ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. 

 

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ કાર્યક્રમમાં મીડિયા સાથે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે વાત કરી હતી. સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો નિંદનીય ગણાવ્યો હતો. ચૂંટણી નજીક આવી છે ત્યારે આ પ્રકારે હુમલાઓ કરવા યોગ્ય નહીં. પાટીદાર મતદારોને પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટો આપવામાં આવે છે. ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.

સુરતમાં કેજરીવાલે મહાઆરતીમાં લીધો ભાગ

Arvind Kejriwal Gujarat Visit: દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. બાદમાં હાજર જનમેદનીને સંબોધિત કરી હતી.  અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનની શરૂઆત જય ગણેશ દેવાની સ્તુતિ સાથે કરી હતી. તેમણે કહ્યું, સુરતમાં વાયબ્રેશન છે, ખુદ ભગવાન મોજુદ છે. તમામ લોકોએ જોયું છે. મનોજ સોરઠીયા પર કરવામાં આવેલા હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું. આપ ગરીબોની સેવા કરી રહ્યું છે. અમારા કાર્યકર્તાઓ કેમ હુમલા કરવામાં આવે છે, ભગવાન પ્રભુ ખુદ કહે છે, જે લોકો સાચા માર્ગે ચાલે છે તેમને મુશ્કેલી આવે છે. આપણે સચ્ચાઈ માર્ગ પર ચાલવાનું છે. આપણે ગણપતિ સામે શપથ લઈએ, આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને દરેક વ્યક્તિ ખુશ હોય, ગરીબી દૂર થાય, તમામને શિક્ષણ મળે ત્યારે ભારત નંબર 1 બનશે. આપણે સૌ બહાદુર છીએ, પણ સિસ્ટમ ખરાબ છે એને બદલીશું.

કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.

રાજકોટમાં કેજરીવાલનો ડોર ટુ ડોર પ્રચાર

રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મધ્યમ વર્ગ મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.

રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા. લોકોએ કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ ગેરેન્ટી અમને અચૂક મળશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget