શોધખોળ કરો

સવારના બે કલાકમાં 32 તાલુકામાં વરસાદ, જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ ખાબક્યો

બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ જોવા મળી હતી. રાજ્યના અનેક વિસ્તારમાં અવિરત વરસાદ પડ્યો છે તો અનેક વિસ્તારમાં જળબંબાકરની સ્થિતી જોવા મળી છે.

Gujarat Rain: આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ જોવા મળી હતી. રાજ્યના અનેક વિસ્તારમાં અવિરત વરસાદ પડ્યો છે તો અનેક વિસ્તારમાં જળબંબાકરની સ્થિતી જોવા મળી છે. આ વરસાદ આજે પણ અવિરત વરસી રહ્યો છે. ત્યારે સવારના બે કલાકના આંકડા સામે આવ્યા છે જેમાં અનેક વિસ્તારમાં બારેમેઘ ખાંગા થયા છે. સવારના બે કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ પડ્યો છે.

સવારના બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

8 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા ચાર ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં સુત્રાપાડામાં અઢી ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં જામનગરના ધ્રોલમાં સવા ઈંચ વરસાદ

8 વાગ્યા સુધીમાં કેશોદ, કોડીનાર, મેંદરડામાં પોણો પોણો ઈંચ વરસાદ

જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા થયા છે. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો છે. ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે.

ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.

માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ માળીયા હાટીના તાલુકાની મેઘલ નદી ઉફાન પર છે. જ્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામે જોરદાર પુર ને કારણે પુલ તૂટ્યો છે.

પુલ તૂટતા ગાગેચા, રંગપુર, કારવાણી ગામ નો સંપર્ક માળીયા તાલુકા સાથે તૂટ્યો તેમજ નદી ની બીજી તરફ રહેતા ખેડૂતોની અવર જવર બંધ થઈ ગઈ છે.

માંગરોળ નજીક આવેલ નોળી નદિ તેમજ માળીયા હાટીના મેધલ નદિ અને વ્રજમી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદિના નીચાણવાણા ગામોને એલર્ટ કરાયા છે. નદિના પટાંગણમાં અવળજવર ના કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget