શોધખોળ કરો

માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત

Rajkot farmer suicide: કમોસમી વરસાદના કારણે ₹10 લાખનું નુકસાન થવાનો પુત્રનો દાવો; પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Rajkot farmer suicide: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં કમોસમી વરસાદ (માવઠા) ને કારણે પાક નિષ્ફળ જવાથી આવેલી આર્થિક તંગીએ એક વધુ ખેડૂતનો ભોગ લીધો છે. ગામના 50 વર્ષીય ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયાએ ગત રાત્રિના સમયે પોતાની વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. જોકે રાજ્ય સરકારે ખેડૂતો માટે ₹10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, તેમ છતાં પાક નિષ્ફળ જવાથી આવેલા આર્થિક બોજ અને તણાવને કારણે દિલીપભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમના પુત્ર અને ગામના સરપંચ દાવો કરી રહ્યા છે. મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (PM) કરાવવામાં આવ્યું છે, અને કોટડાસાંગાણી પોલીસે આત્મહત્યાના સાચા કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હોવા છતાં, પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પરનો આર્થિક બોજ ઓછો થતો નથી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં વધુ એક ખેડૂત આર્થિક નુકસાન અને સતત તણાવના કારણે જિંદગીથી હારી ગયા છે.

અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ વિરડિયાએ ગત રાત્રે પોતાની વાડી ખાતે જ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ સમાચારને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતક ખેડૂતના પુત્ર ઉત્સવે દિવ્યભાસ્કરને આપેલી માહિતી અનુસાર, કમોસમી અને વધુ વરસાદને કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો. તેમણે વાવેતર કરેલી મગફળી, કપાસ અને ડુંગળી ત્રણેય વસ્તુઓ ખરાબ થઈ હતી. ખાસ કરીને મગફળી અને ડુંગળીના પાથરા પલળી ગયા હતા અને ડુંગળી સુકાઈ ગઈ હતી. પુત્રએ દાવો કર્યો કે આ નુકસાન અંદાજે ₹10 લાખ જેટલું થયું હતું. આર્થિક મોટું નુકસાન થવાને કારણે તેમના પિતા છેલ્લા 15-20 દિવસથી સતત ટેન્શનમાં રહેતા હતા, અને આ જ કારણોસર તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

ગામના સરપંચ નરશી ગજેરાએ પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે, દિલીપભાઈ ખેતી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે 12 વીઘા ઘરની જમીન અને અન્ય 28 વીઘા વાવવા રાખેલી જમીન હતી, પરંતુ બધા પાક નિષ્ફળ ગયા હતા. સરપંચે જણાવ્યું કે ગયા વર્ષે દીકરીના લગ્નને કારણે દેવું હતું અને ઉપરથી આ વર્ષે બિયારણ અને વાવેતરનું નવું દેવું થયું હતું. આર્થિક સંકડામણ અને કોઈને કહી ન શકવાના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનાની જાણ થતા જ કોટડાસાંગાણી પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં PM (પોસ્ટમોર્ટમ) કરાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આત્મહત્યાના સાચા અને કાયદેસર કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જે બાદ સમગ્ર ઘટનાનું વાસ્તવિક કારણ સપાટી પર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Embed widget