શોધખોળ કરો

Rajkot: 27મીએ આખુ રાજકોટ છાવણીમાં ફેરવાશે, પીએમ મોદીની સુરક્ષામાં ઉતારાશે આટલો મોટો પોલીસ કાફલો

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી, વડાપ્રધાન મોદીના રાજકોટ કાર્યક્રમમાં કુલ 3019 પોલીસ જવાનો દ્વારા સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવશે

Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 જુલાઈ ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ પર આવવાના છે, આ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ખડેપગે થઇ ગયુ છે. રાજકોટમાં 27મીએ પીએમ મોદી હિરાસર એરપોર્ટ સહિત બીજા કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના આ ગુજરાત પ્રવાસને લઇને પોલીસ તંત્ર સજ્જ ખડેપગે થઇ ગયુ છે. આજે રાજકોટ પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને 3019 પોલીસકર્મીઓ પીએમની સુરક્ષામાં રહેવાની વાત કરી છે.

આજે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી, તેમને આ દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન મોદીના રાજકોટ કાર્યક્રમમાં કુલ 3019 પોલીસ જવાનો દ્વારા સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં એક પોલીસ કમિશનર, 4 ડીસીપી, 5 એસપી, 18 એસીપી બંદોબસ્તમાં તેનાત રહેશે. આ ઉપરાંત રાજકોટમાં 60 પીઆઈ, 169 પીએસઆઈ, 27 વુમન પીએસઆઈ, 1286 પુરુષ પોલીસ, 142 વુમન પોલીસ તેનાત રહેશે. 118 એસઆરપી જવાનો, 370 ટ્રાફિક એલઆરડી, 401 ગુજરાત હૉમગાર્ડ, 408 ટીઆરબી, 10 હોર્સ રાઇડર પણ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. સભાસ્થળ પર અને ટ્રાફીક માટે ત્રણ હજાર પોલીસ જવાનો તૈનાત કરાશે. 

રાજકોટ માં ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નો મિનિટ 2 મિનિટ કાર્યક્રમ

3.10 હિરાસર એરપોર્ટ પર આગમન

3.15 થી 3.30 એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે

3.40 ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે

3.45 હિરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર આવવા રવાના થશે

4.05 રાજકોટ એરપોર્ટ પર આગમન

4.10 રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે

4.15 રેસકોર્ષ સભાસ્થળ પર આગમન

4.15 થી 5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

5.30 રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે

5.40 થી 6.30 રાજકોટથી બોઈંગમાં રવાના થઈ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની આ જનસભા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે. રાજકોટમાં Kkv ઓવરબ્રિજનું પણ પીએમ મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આ પહેલા 22મી જુલાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ kkv ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના હતા, પરંતુ હવે આ કાર્યક્રમને પણ 27મી જુલાઈએ જ રાખવામાં આવ્યો છે, આ કેકેવી ઓવરબ્રિઝને પણ હવે વડાપ્રધાન મોદીના હસ્તે જ લોકાર્પણ કરાશે. આગામી 22 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવશે, અને વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી હીરાસર ગ્રીનફિલ એરપોર્ટ સહિત રાજકોટના અલગ અલગ 3000 કરોડના લોકાર્પણ કરશે. મહાનગર પાલિકાની કેકેવી બ્રિજ, અદ્યતન લાયબ્રેરી, શુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના લોકાર્પણ કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Embed widget