![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot Night Curfew Update : 'સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાંખી દે, પણ માત્ર અમારા.....'
રાત્રીના 10થી સવારે 6 સુધી કર્ફ્યુના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને ભારે નુકસાની પહોંચી રહી છે. ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશન કોરોનાના વધતા કેસથી ચિંતિત છે. સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાખી દે, એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે. પણ માત્ર અમારા વ્યવસાયને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે.
![Rajkot Night Curfew Update : 'સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાંખી દે, પણ માત્ર અમારા.....' Rajkot Night Curfew Update : Traders Raised Questions Coronavirus Lockdown in CM Vijay Rupani Hometown Rajkot Night Curfew Update : 'સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાંખી દે, પણ માત્ર અમારા.....'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/17/ff320512ed75aa782398caec15d92fa8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા આજથી રાતે 12ને બદલે રાત્રીના 10ના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 10 વાગ્યાથી કર્ફ્યુની સૌથી વધુ અસરો હોટેલ અને ફાસ્ટફૂડના વ્યવસાય પર અસરો જોવા મળે છે. રાજકોટ ફૂડ એન્ડ બેવરેજીસ એસોસિએશનના શેખરભાઈ મહેતાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી.
રાત્રીના 10થી સવારે 6 સુધી કર્ફ્યુના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને ભારે નુકસાની પહોંચી રહી છે. ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશન કોરોનાના વધતા કેસથી ચિંતિત છે. સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાખી દે, એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે. પણ માત્ર અમારા વ્યવસાયને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે. આવતી કાલે રાજકોટમાં હોટેલના સંચાલકો અને ફાસ્ટફૂડના સંચાલકો ભેગા થશે .જરૂર પડશે તો આ મામલે સરકારને પણ રજુઆત કરીશું.
રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966 એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ નોંધાયા હતા.
ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ
બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)