શોધખોળ કરો

Rajkot Game Zone Fire: ગેમ ઝોનમાં શનિવારે એન્ટ્રી માટે 99 રુપિયાની સ્કીમ હતી, EXIT અને ENTRY માટે એક જ રસ્તો

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ  લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે.

રાજકોટ:  રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં એક ચોંકાવાનારો ખુલાસો થયો છે.  EXIT અને ENTRY માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. આજે એટલે કે શનિવારે એન્ટ્રી માટે 99 રુપિયાની સ્કિમ હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. 

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ  લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબડે ચડ્યું છે. શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 32 મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. 

માતા-પિતા  અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે.  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. 

આગની એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.  આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તૈનાત કરાઈ હતી.  ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુનો આંકડો 32 પર પહોંચી ગયો છે.

રાજકોટ કલેક્ટર અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. એક બાદ એક મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે.  32 લોકોના મોત થતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. 

માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહીત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તો સમગ્ર અગ્નિકાંડ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  

SITની રચના કરવામાં આવી

આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે.  

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,  રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટના જંગલેશ્વર ડિમોલીશનમાં ખર્ચને લઈ વધુ એક વિવાદ, વીડિયોગ્રાફીના 24 લાખના બિલના મુદ્દે શું કરી સ્પષ્ટતા?
રાજકોટના જંગલેશ્વર ડિમોલીશનમાં ખર્ચને લઈ વધુ એક વિવાદ, વીડિયોગ્રાફીના 24 લાખના બિલના મુદ્દે શું કરી સ્પષ્ટતા?
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
Embed widget