શોધખોળ કરો

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણની ધરપકડ કરાઇ હતી. SITની ટીમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણની ધરપકડ કરાઇ હતી. SITની ટીમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. RMCના ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર,સસ્પેન્ડેડ ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબા,વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઇ હતી. આજે ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરાશે.

મળતી જાણકારી અનુસાર, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાશે. અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી મહત્તમ રિમાંડની માંગણી કરવામાં આવશે. 2023માં ગેમ ઝોનમાં આગ લાગી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલા ન લેવાયાનો ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા પર આરોપ છે.  તો મહેશ રાઠોડની આગ સમયે દાઝી જતા ધરપકડ કરવામાં આવી ન હતી. આમ અત્યારે વધુ ત્રણની ધરપકડ સાથે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શક્યતા છે કે તપાસનો રેલો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે.

અગાઉ ક્રાઇમ બ્રાન્ચની સીટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના બે ઉચ્ચ અધિકારીઓને ધરપકડ કરી હતી. Assistant Town Planning Officer રાજેશ મકવાણા અને ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી જયદીપ ચૌધરીની ધરપકડ કરી હતી. આ બંને અધિકારીઓ પર ગેરકાયદેસર રીતે બાંધકામના નકશા પાસ કરવા અને ગેમઝોનને ગેરકાયદેસર રીતે ચલાવવાની મંજૂરી આપવાનો આરોપ છે. આગ લાગ્યા પછી બચાવ માટે ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા.

25 જૂને રાજકોટ બંધના કોંગ્રેસના એલાનને કોચિંગ ક્લાસ એસોસિએશને સમર્થન આપ્યું હતું. રાજકોટ અગ્નિકાંડની ઘટનાની એસઆઈટીની ટીમ હાલમાં તપાસ ચલાવી રહી છે. એવામાં પીડિત પરિવારને ન્યાય મળે એ માટે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ હતું. ત્યારે કોંગ્રેસના આ એલાનને કોચિંગ ક્લાસ એસોસિએશને સમર્થન જાહેર કર્યુ હતું. 25 જૂને રાજકોટમાં 300થી વધારે કોચિંગ ક્લાસ બંધ રહેશે. આ તરફ ચેમ્બર ઓફ કોમર્સે પણ અપીલ કરી કે, 25 જૂને તમામ વેપારીઓ સ્વૈચ્છાએ ધંધા-રોજગાર બંધ રાખે.                                                     

  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget