શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન, જેપી નડ્ડાએ કહ્યું- દેશ ક્યારેય ગાંધી અને સરદારના યોગદાનને ન ભુલી શકે

Rajkot: સ્વાતંત્ર્ય પર્વ પહેલા રાજકોટમાં બીજેપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બીજેપીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

Rajkot: સ્વાતંત્ર્ય પર્વ પહેલા રાજકોટમાં બીજેપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બીજેપીના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

 

ગુજરાતની ભૂમિ પર આવવાનું મારા માટે ગર્વ સમાનઃનડ્ડા

આ અવસરે જે.પી.નડ્ડાએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને નમન  કર્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે, ગુજરાતની ભૂમિ પર આવવાનું મારા માટે ગર્વ સમાન છે.
ગુજરાતની ભૂમિને મારા પ્રણામ. જ્યા જુઓ ત્યાં તિરંગો જ દેખાય છે. આઝાદ ભારતના નિર્માણમાં ગુજરાતનું મોટુ યોગદાન છે. ગુજરાત સંતો અને વિરોની ભૂમિ છે.  દેશ ક્યારેય મહાત્મા ગાંધીના યોગદાનને ભુલી ન શકે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું મહત્વનું પર્દાપર્ણ છે. સરદાર પટેલે દેશને એક કર્યો. PM નરેન્દ્રભાઈ પણ ગુજરાતના તે ગર્વની વાત. ભારતના વિકાસમાં ગુજરાતની ભૂમિકા મહત્વની. તેમણે વધુમાં કહ્યું કે, સુરત,વડોદરા, અમદાવાદમાં તિરંગા યાત્રા નિકળશે. 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે.

 

તિરંગો લોકોને સાથે લાવે છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું કે, તિરંગો લોકોને સાથે લાવે છે.
હર ઘર તિરંગા અભિયાન PMની પ્રેરણા છે. PM અને અમિત શાહ દેશને આગળ ધપાવી રહ્યા છે.

રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રા 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ તિરંગા યાત્રામાં જોડાયા હતા.  ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વજુભાઈ વાળા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારીયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા સહિત કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા. 

તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભુપેન્દ્ર પટેલ, જે.પી.નડ્ડા સહિતનાઓએ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો હતો. બહુમાળી ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ રેશકોર્ષ રીંગરોડ થઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રાને લઈ રૂટ પર દેશભક્તિનો માહોલ છવાયો જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget