શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરારીબાપુના સમર્થનમાં વીરપુર અને મહુવા આવતીકાલે બંધ રહેશે
મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે. મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ વીરપુર આવતીકાલે બંધ પાળશે.
![મોરારીબાપુના સમર્થનમાં વીરપુર અને મહુવા આવતીકાલે બંધ રહેશે Virpur and Mahuva will be closed tomorrow in support of Moraribapu મોરારીબાપુના સમર્થનમાં વીરપુર અને મહુવા આવતીકાલે બંધ રહેશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/20024734/Morari-bapu.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ : દેવભૂમિ દ્વારકામાં મોરારીબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાના પ્રયાસને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે. મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ વીરપુર આવતીકાલે બંધ પાળશે. વીરપુર ગામના સમગ્ર વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કરશે. જલારામબાપાના પરિવારના પ્રતિનિધિ અને વીરપુર ગામના પાંચ આગેવાનો આવતીકાલે રાજકોટ જઈને આવેદનપત્ર પણ આપશે.
બીજી તરફ મોરારીબાપુના સમર્થનમાં ભાવનગરના મહુવા ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસના કાર્યકરો, હિંદુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે મહુવા બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે 10 વાગ્યે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ સાથે જ મોરારીબાપુ જેમ માફી માટે દ્વારકા ગયા હતા તેમ પબુભા માણેક આવી બાપુ પાસે માફી માંગે તેવી માંગ પણ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)