શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી 20 વર્ષીય યુવતીએ કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો?
કરાડવા રોડ પાસે આવેલ સાકર પેલેસમાં રહેતી ૨૦ વર્ષીય ઋતુજા ઘરે જ પાર્લરનું કામ કરતી હતી. બ્યુટી પાર્લરનું કામકાજ ચાલતું ન હોવાથી ઋતુજા વારંવાર માનસિક તાણ અનુભવતી હતી.
![સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી 20 વર્ષીય યુવતીએ કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો? 20 year girl suicide due to stop work of beauty parlor in Surat સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી 20 વર્ષીય યુવતીએ કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/27222542/Suicide-kerala.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના ડીંડોલી વિસ્તારમાં 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આર્થિક સંકડામણને કારણે બ્યુટી પાર્લરની સંચાલકે આપઘાત કર્યો છે. કરાડવા રોડ પાસે આવેલ સાકર પેલેસમાં રહેતી ૨૦ વર્ષીય ઋતુજા ઘરે જ પાર્લરનું કામ કરતી હતી. બ્યુટી પાર્લરનું કામકાજ ચાલતું ન હોવાથી ઋતુજા વારંવાર માનસિક તાણ અનુભવતી હતી.
અંતે માનસિક તણાવમાં આવી પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાની કોશિશ કરી હતી. હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સિવાય લિંબાયત વિસ્તારમાં પણ 35 વર્ષીય યુવાને આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણથી કંટાળી ચતુરભાઈ પીતાંબર શિંદેએ આપઘાત કર્યો છે. ચતુર શિંદે નારાયણ નગર ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)