![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat : 17 વર્ષીય છોકરીએ ઘરે જ કરી લીધો આપઘાત, પરિવારે બાઇક પર દીકરીને લઈ હોસ્પિટલ પહોંચ્યો
પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પરિવાર દ્વારા કિશોરીને બાઈક ઉપર જ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી
![Surat : 17 વર્ષીય છોકરીએ ઘરે જ કરી લીધો આપઘાત, પરિવારે બાઇક પર દીકરીને લઈ હોસ્પિટલ પહોંચ્યો A 17 year old girl committed suicide at home in Surat Surat : 17 વર્ષીય છોકરીએ ઘરે જ કરી લીધો આપઘાત, પરિવારે બાઇક પર દીકરીને લઈ હોસ્પિટલ પહોંચ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/17/d1e796295f5e67c1569573eefde8a4271658070349_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પરિવાર દ્વારા કિશોરીને બાઈક ઉપર જ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી. આ સમગ્ર બાબતે પાંડેસરા પોલીસો વધુ તપાસ હાથ ધરી છે.
Surat : પત્નીની પટ્ટાથી ગળું દબાવી ખૂદ પતિએ જ કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરતઃ શહેરના પાંડેસરામાં પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાનો મામલો આપઘાતમાં ખપાવી દેવા આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પોલીસ સમક્ષ પતિએ નાટક કર્યુ હતું. જો કે પોલીસને ડેડબોડી જોઇ શંકા લાગતી હતી. જેથી ડેડબોડીનું પીએમ કરાવતા હત્યાનો મામલો સામે આવ્યો હતો.
ડીસીપી સાગર બગમારએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ સુર્યા કમ્ભુપાની બિસોઈ(37)(રહે, ક્રાર્તિક આવાસ,જીઆવ,પાંડેસરા,મૂળની ધરપકડ કરી છે. પાંડેસરા જીઆવ ખાતે આવાસમાં રહેતી 33 વર્ષીય પીન્કી જોડે પતિ સૂર્યા કામધંધો કરતો ન હતો. જેના કારણે 19મીએ રાત્રે ઝઘડો થયો હતો. દરમિયાન દિકરાની નજર સામે પિતા માતાને મારતો હતો. પતિએ પત્નીનું ગળું દુપટ્ટો વડે દબાવી મોતને ઘાટ ઉતારી બાદમાં દુપટ્ટોનો એક છેડો બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ આપઘાતમાં મામલો ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
Crime News: ભુજના હમીરસર ખાતે તરતી લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિની લાશ આજે જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી લોકોએ તાત્કાલિક લાશ અંગે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત લાશને બહાર કાઢવા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ યુવક કોણ છે તેની માહિતી સામે આવી નથી. યુવકના મોત અને અનેક શંકાઓ સેવાઈ રહી છે.
તો બીજી તરફ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. લોહી લુહાણ હાલતમાં યુવાનનું મૃતદેહ મળી આવતા તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)