શોધખોળ કરો

Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

Surat News:  તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશન પર મનપાએ હાથ ખંખેર્યા.
  • ખાનગી ડિમોલિશન બિલ્ડર લાભાર્થે, પોલીસ પ્રોટેક્શન પ્રશ્નાર્થ બન્યું.
  • સુપ્રીમ કોર્ટની નોટિસ વિના કાર્યવાહી; ધારાસભ્યએ તપાસ જણાવી.
  • મનપા ૩ દિવસ સુધી મૌન, કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.

Surat News: સુરતના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિરનગરમાં 2 જૂનના થયેલા હાઈપ્રોફાઈલ ડિમોલિશનને લઈને હવે અનેક વિવાદ ઉભા થયા છે. નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે મનપાએ તો હાથ ખંખેરી નાંખ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ ડિમોલિશનને લઈ જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે.  નાસિરનગરના બેઘર બની ગયેલા લોકો જ્યારે મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે મનપાએ ડિમોલિશન કરવાથી નનૈયો ભણી દીધો. તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું હોવાની ચર્ચા 

હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું છે. જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ હતો ત્યારે સવાલ તો એ થાય કે આ નકલી પ્રશાસનને કોની રહેમનજર હેઠળ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું. આ આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે. જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલીશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો કે આ સ્લમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે 'કતારગામ ઝોન' અને જમીન માલિક તરીકે 'સુરત મહાનગરપાલિકા' લખેલું છે. આ વસાહતમાં આજે ચોથી પેઢી વસવાટ કરી રહી છે, તેને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના ઘરવિહોણી કરી દેવાઈ છે.આ વિસ્તાર કતારગામ ઝોનમાં આવે છે છતાં તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી? 

આ પણ વાંચોઃ અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ડિમોલિશન સેન્ટ્રલ ઝોન તરફથી કરાયું નથી. ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોન તરફથી માત્ર લાઈન દોરીની કામગીરી કરાઈ હતી. સુરત મનપાનો સેન્ટ્રલ ઝોન માત્ર લાઈન દોરવા ગઈ હતી. ડિમોલિશન કોણ કરી ગયું તે તપાસના અંતે જાણ થશે. 

ડિમોલિશનને લઈ વિવાદ પર મનપા પ્રશાસને મૌન જાળવ્યું હતું. ડિમોલિશનના 3 દિવસ બાદ પણ મનપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વગર નોટિસે ડિમોલિશન થયાનો સ્થાનિકોનો આરોપ છે. કોઈ જમીન માફિયાને લાભ અપાવવા ડિમોલિશન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા વિવાદની વચ્ચે પણ સુરત મનપા કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નહીં.

Frequently Asked Questions

સુરતના નાસિરનગરમાં શું ઘટના બની હતી?

૨ જૂને સુરતના કતારગામ ઝોનમાં આવેલા નાસિરનગરમાં હાઈપ્રોફાઈલ ડિમોલિશન થયું હતું. આ ડિમોલિશનમાં સ્થાનિકોને નોટિસ વગર ઘરવિહોણા કરી દેવાયા છે.

નાસિરનગરમાં થયેલા ડિમોલિશન માટે કોણ જવાબદાર છે?

મહાપાલિકાએ આ ડિમોલિશનથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે તેમને આ અંગે કોઈ જાણ નથી. સોશિયલ મીડિયા પર બિલ્ડરને લાભ કરાવવા ખાનગી ડિમોલિશન કરાયાની ચર્ચા છે.

શું નાસિરનગરના ડિમોલિશનમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું હતું?

ના, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા ૧૫ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં ઉલ્લંઘન થયું છે. સ્થાનિકોને નોટિસ વગર ઘરવિહોણા કરાયાનો આરોપ છે.

સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલિશન અંગે શું સ્પષ્ટતા કરી છે?

મહાપાલિકાએ ડિમોલિશનથી હાથ ખંખેરી લીધા છે અને મૌન જાળવ્યું છે. કમિશનર કે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
Embed widget