શોધખોળ કરો

Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

Surat News:  તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશન પર મનપાએ હાથ ખંખેર્યા.
  • ખાનગી ડિમોલિશન બિલ્ડર લાભાર્થે, પોલીસ પ્રોટેક્શન પ્રશ્નાર્થ બન્યું.
  • સુપ્રીમ કોર્ટની નોટિસ વિના કાર્યવાહી; ધારાસભ્યએ તપાસ જણાવી.
  • મનપા ૩ દિવસ સુધી મૌન, કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.

Surat News: સુરતના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિરનગરમાં 2 જૂનના થયેલા હાઈપ્રોફાઈલ ડિમોલિશનને લઈને હવે અનેક વિવાદ ઉભા થયા છે. નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે મનપાએ તો હાથ ખંખેરી નાંખ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ ડિમોલિશનને લઈ જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે.  નાસિરનગરના બેઘર બની ગયેલા લોકો જ્યારે મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે મનપાએ ડિમોલિશન કરવાથી નનૈયો ભણી દીધો. તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું હોવાની ચર્ચા 

હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું છે. જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ હતો ત્યારે સવાલ તો એ થાય કે આ નકલી પ્રશાસનને કોની રહેમનજર હેઠળ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું. આ આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે. જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલીશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો કે આ સ્લમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે 'કતારગામ ઝોન' અને જમીન માલિક તરીકે 'સુરત મહાનગરપાલિકા' લખેલું છે. આ વસાહતમાં આજે ચોથી પેઢી વસવાટ કરી રહી છે, તેને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના ઘરવિહોણી કરી દેવાઈ છે.આ વિસ્તાર કતારગામ ઝોનમાં આવે છે છતાં તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી? 

આ પણ વાંચોઃ અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ડિમોલિશન સેન્ટ્રલ ઝોન તરફથી કરાયું નથી. ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોન તરફથી માત્ર લાઈન દોરીની કામગીરી કરાઈ હતી. સુરત મનપાનો સેન્ટ્રલ ઝોન માત્ર લાઈન દોરવા ગઈ હતી. ડિમોલિશન કોણ કરી ગયું તે તપાસના અંતે જાણ થશે. 

ડિમોલિશનને લઈ વિવાદ પર મનપા પ્રશાસને મૌન જાળવ્યું હતું. ડિમોલિશનના 3 દિવસ બાદ પણ મનપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વગર નોટિસે ડિમોલિશન થયાનો સ્થાનિકોનો આરોપ છે. કોઈ જમીન માફિયાને લાભ અપાવવા ડિમોલિશન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા વિવાદની વચ્ચે પણ સુરત મનપા કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નહીં.

Frequently Asked Questions

સુરતના નાસિરનગરમાં શું ઘટના બની હતી?

૨ જૂને સુરતના કતારગામ ઝોનમાં આવેલા નાસિરનગરમાં હાઈપ્રોફાઈલ ડિમોલિશન થયું હતું. આ ડિમોલિશનમાં સ્થાનિકોને નોટિસ વગર ઘરવિહોણા કરી દેવાયા છે.

નાસિરનગરમાં થયેલા ડિમોલિશન માટે કોણ જવાબદાર છે?

મહાપાલિકાએ આ ડિમોલિશનથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે તેમને આ અંગે કોઈ જાણ નથી. સોશિયલ મીડિયા પર બિલ્ડરને લાભ કરાવવા ખાનગી ડિમોલિશન કરાયાની ચર્ચા છે.

શું નાસિરનગરના ડિમોલિશનમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું હતું?

ના, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા ૧૫ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં ઉલ્લંઘન થયું છે. સ્થાનિકોને નોટિસ વગર ઘરવિહોણા કરાયાનો આરોપ છે.

સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલિશન અંગે શું સ્પષ્ટતા કરી છે?

મહાપાલિકાએ ડિમોલિશનથી હાથ ખંખેરી લીધા છે અને મૌન જાળવ્યું છે. કમિશનર કે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
Embed widget