શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: કેજરીવાલ સુરતમાં AAPના ક્યા કાર્યકરના ઘરે બપોરે કાઠિયાવાડી ભોજન લેશે ? કોને કોને સાથે ભોજન લેવા અપાયું નિમંત્રણ ?
સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી.
![Surat: કેજરીવાલ સુરતમાં AAPના ક્યા કાર્યકરના ઘરે બપોરે કાઠિયાવાડી ભોજન લેશે ? કોને કોને સાથે ભોજન લેવા અપાયું નિમંત્રણ ? Delhi CM Arvind Kejriwal today launch with AAP leader Manoj Sorathiya at Surat Surat: કેજરીવાલ સુરતમાં AAPના ક્યા કાર્યકરના ઘરે બપોરે કાઠિયાવાડી ભોજન લેશે ? કોને કોને સાથે ભોજન લેવા અપાયું નિમંત્રણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/26172222/Kejriwal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ અરવિંદ કેજરીવાલ.
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ કરેલા શાનદાર દેખાવના પગલે રોડ શો માટે દિલ્હીથી સુરત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરના ઘરે કાઠિયાવાડી ભોજન લેશે.
અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ બપોરે આમ આદમી પાર્ટી (આપ) સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે જશે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના 24 કોર્પોરેટરો સાથે કાઠિયાવાડી ભોજન કરશે.
સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. વરાછા ખાતે દ્વારકેશ નગરી સોસાયટીમાં વિજયી 27 કોર્પોરેટર સાથે કેજરીવાલ વાત કરશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
શિક્ષણ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)