શોધખોળ કરો
Advertisement
સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
સુરતમાં વધતા સંક્રમણને લઈને ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોટું નિવેદન આપ્યું છે.
સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. સુરતમાં વધતા સંક્રમણને લઈને ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોટું નિવેદન આપ્યું છે. જયંતિ રવિએ કહ્યું, સુરતમાં વધતા કોરોનાના સંક્રમણ પાછળનું કારણ મુંબઈથી આવતા જતા લોકોને ગણાવ્યા છે.
સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. સુરત શહેરમાં આજે કોરોનાના નવા 207 કેસ અને ગ્રામ્યમાં નવા 80 કેસ નોંધાયા છે. આ સાથે કુલ નવા કેસ 287 નોંધાયા છે. આજે વધુ 5 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29806 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion