શોધખોળ કરો

સુરતમાં કાળજું કંપાવે તેવી ઘટના! આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકાર પરિવારે કર્યો સામુહિક આપઘાત

કામરેજના ગલતેશ્વર પાસે તાપી નદીમાં ઝંપલાવ્યું, પત્ની અને ૧૨ વર્ષના પુત્ર સાથે જીવનનો અંત આણ્યો.

  • સુરતમાં આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકાર પરિવારે તાપી નદીમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યો.
  • મૃતકોમાં 40 વર્ષીય રત્નકલાકાર વિપુલ દેવગણિયા, તેમની પત્ની સરિતાબેન અને 12 વર્ષનો પુત્ર વ્રજ સામેલ છે.
  • પોલીસ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા.
  • એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી રત્નકલાકાર સમાજ અને સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
  • આ ઘટનાએ હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ અંગે ફરી ચિંતા ઊભી કરી છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Surat mass suicide 2025: સુરતમાં આર્થિક તંગીના કારણે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારના ગલતેશ્વર નજીક એક રત્નકલાકારે પોતાની પત્ની અને પુત્ર સાથે તાપી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી રત્નકલાકાર સમાજ અને સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય રત્નકલાકાર વિપુલ રવજીભાઈ દેવગણિયા, તેમની પત્ની ૩૮ વર્ષીય સરિતાબેન વિપુલભાઈ દેવગણિયા અને ૧૨ વર્ષીય પુત્ર વ્રજ દેવગણિયાએ આર્થિક તંગીથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પરિવારે કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીના પુલ પરથી નદીમાં છલાંગ લગાવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ગમખ્વાર ઘટના બાદ ત્રણેયના મૃતદેહોને સુરત કતારગામ સ્થિત તેમના નિવાસસ્થાન ખાતે લાવવામાં આવશે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા તેમના નિવાસસ્થાન ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો, સમાજના આગેવાનો અને સંબંધીઓ એકત્ર થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આર્થિક તંગીના કારણે પરિવારે આટલું મોટું પગલું ભર્યું હોવાનું સામે આવતા હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની સ્થિતિ અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર પરિવારની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાશે અને મૃતકોને અંતિમ વિદાય આપશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પરિવાર દ્વારા આત્યંતિક પગલું ભરવા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સમાજમાં આર્થિક પડકારો અને તેના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget