શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat : UPમાં રહેતી યુવતીએ સુરતમાં પતિ સાથે 40 મિનિટ વાત કર્યા પછી કરી લીધો આપઘાત, આઘાતમાં પતિએ શું કર્યું ?
સુરતના પાંડેસરામાં છેલ્લા 6 વર્ષથી પ્રદીપ સાડીની દુકાનમાં કામ કરતો હતો. હજુ બે મહિના પહેલા જ 10 ડિસેમ્બરે તેણે રીતુ સાથે લગ્ન કર્યા હતા.
![Surat : UPમાં રહેતી યુવતીએ સુરતમાં પતિ સાથે 40 મિનિટ વાત કર્યા પછી કરી લીધો આપઘાત, આઘાતમાં પતિએ શું કર્યું ? Husband and wife suicided after two moth of marriage in Surat Surat : UPમાં રહેતી યુવતીએ સુરતમાં પતિ સાથે 40 મિનિટ વાત કર્યા પછી કરી લીધો આપઘાત, આઘાતમાં પતિએ શું કર્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19152804/Surat-suicide-case.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ ફોટો.
સુરતઃ શહેરના પાંડેસરામાં હજુ બે મહિના પહેલા જ લગ્ન કરનાર પતિ-પત્નીએ વારાફરતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ વતનમાં આપઘાત કરી લીધો હોવાની જાણકારી મળતાં જ પતિએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા બંને વચ્ચે 40 મિનિટ ફોન પર વાત થઈ હતી. ત્યારે બંને વચ્ચે શું વાત થઈ હતી, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છએ. પોલીસ તપાસ પછી સાચું કારણ સામે આવશે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના પાંડેસરામાં છેલ્લા 6 વર્ષથી પ્રદીપ સાડીની દુકાનમાં કામ કરતો હતો. હજુ બે મહિના પહેલા જ 10 ડિસેમ્બરે તેણે રીતુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રીતુ વતન ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં પરિવાર સાથે રહેતી હતી. જ્યારે પ્રદીપ ગત 16મી જાન્યુઆરીએ સુરત પરત ફર્યો હતો.
ગઈ કાલે સવારે પ્રદીપે રીતુ સાથે લગભગ 40 મિનિટ ફોન પર વાત કરી હતી. આ પછી પ્રદીપને પત્નીએ આપઘાત કરી લીધો હોવાના સમાચાર મળ્યાના 2 કલાક પછી તેણે પણ આપઘાત કરી લીધો હતો. પ્રદીપે પોતાના હાથની નસ કાપીને આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)