શોધખોળ કરો

Surat: સુરતમાં સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ, 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ 

સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે.

સુરત: સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે. સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ કરતા અનાજમાં ગેરરીતિ સામે આવતા ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત ગરીબોને મળતું સસ્તા ભાવે અનાજ અમુક લેભાગુઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે બારોબાર વેચી લેવાની ફરિયાદ ઉઠી હતી. 

મજુરા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જેમાં મોટી પ્રમાણમાં અનાજમાં ગેરરીતિ સામે આવી છે.  જેના સંદર્ભમાં સુરત સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.  પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્તા અનાજની દુકાન ચલાવનાર દુકાનદારો લોકોનું ફિંગર પ્રિન્ટ લીધા વગર અનાજ બરોબર સગેવગે કરી દેતા હતા.  જેમાં ઘઉં,  ચોખા,  દાળ,  મીઠું જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. 

આ સમગ્ર કેસની તપાસ કરતાં કુલ 28,000 થી વધુને ગેરરીતિ સામે આવી છે.  સમગ્ર કેસને લઈને સાઈબર સેલના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  હાલ સાઈબર સેલ પોલીસ દ્વારા લેપટોપ ફિંગર પ્રિન્ટનું મશીન સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.   

સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વગર વાંકે લોકોને છરીના ઘા ઝીંક્યા

સુરતના કતારગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.  રિક્ષામાં આવેલા ટપોરીઓએ કેટલાક લોકોને છરી મારી હતી. આ મામલે પોલીસે 3 સામે કાર્યવાહી કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આ ઘટના બની હતી. 

વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા

જાહેરમાં અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. આ ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.  કતારગામમાં રિક્ષામાં આવેલા ટપોરીઓએ આતંક મચાવ્યો અને વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા હતા.  વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ સામાન્ય લોકો પણ ડરી ગયા હતા. રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે રિક્ષામાં આવેલા ટપોરીઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે": અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ,
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, "AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!"
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Local Body Election 2026:  સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી 
Surat: સુરત AAPમાં કકળાટ, આપના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા, 500 કાર્યકરોએ પણ ધરી દીધું રાજીનામું
Surat: સુરત AAPમાં કકળાટ, આપના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા, 500 કાર્યકરોએ પણ ધરી દીધું રાજીનામું

વિડિઓઝ

Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Dang Local Body Election : ડાંગ જિ.પં.ની સુબિર બેઠક પર સાસુ-વહુ વચ્ચે ચૂંટણી જંગ
Amreli Local Body Election : અમરેલી નગરપાલિકામાં દેરાણી-જેઠાણી ચૂંટણીના મેદાનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ,
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, "AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!"
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
"ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે": અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?
રાજકોટ ભાજપમાં ભડકો! નારાજ 'મામા'ને મનાવવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાતોરાત કેમ દોડવું પડ્યું?
સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે મનસુખ વસાવાનો મોટો ધડાકો: લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત!
સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે મનસુખ વસાવાનો મોટો ધડાકો: લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત!
Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ
Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ
Asha Bhosle Passed Away: દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, આવતીકાલે કરવામાં આવશે અંતિમસંસ્કાર
Asha Bhosle Passed Away: દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, આવતીકાલે કરવામાં આવશે અંતિમસંસ્કાર
Embed widget