શોધખોળ કરો

Surat: સુરતમાં સસ્તા અનાજની દુકાનમાં મોટાપાયે ગેરરીતિ, 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ 

સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે.

સુરત: સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદારે લાલ આંખ કરી છે. સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ કરતા અનાજમાં ગેરરીતિ સામે આવતા ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત ગરીબોને મળતું સસ્તા ભાવે અનાજ અમુક લેભાગુઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે બારોબાર વેચી લેવાની ફરિયાદ ઉઠી હતી. 

મજુરા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જેમાં મોટી પ્રમાણમાં અનાજમાં ગેરરીતિ સામે આવી છે.  જેના સંદર્ભમાં સુરત સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.  પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્તા અનાજની દુકાન ચલાવનાર દુકાનદારો લોકોનું ફિંગર પ્રિન્ટ લીધા વગર અનાજ બરોબર સગેવગે કરી દેતા હતા.  જેમાં ઘઉં,  ચોખા,  દાળ,  મીઠું જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. 

આ સમગ્ર કેસની તપાસ કરતાં કુલ 28,000 થી વધુને ગેરરીતિ સામે આવી છે.  સમગ્ર કેસને લઈને સાઈબર સેલના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  હાલ સાઈબર સેલ પોલીસ દ્વારા લેપટોપ ફિંગર પ્રિન્ટનું મશીન સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.   

સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વગર વાંકે લોકોને છરીના ઘા ઝીંક્યા

સુરતના કતારગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.  રિક્ષામાં આવેલા ટપોરીઓએ કેટલાક લોકોને છરી મારી હતી. આ મામલે પોલીસે 3 સામે કાર્યવાહી કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આ ઘટના બની હતી. 

વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા

જાહેરમાં અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. આ ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.  કતારગામમાં રિક્ષામાં આવેલા ટપોરીઓએ આતંક મચાવ્યો અને વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા હતા.  વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ સામાન્ય લોકો પણ ડરી ગયા હતા. રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે રિક્ષામાં આવેલા ટપોરીઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Barrier-Free Toll Plaza: સુરતમાં શરુ થયું દેશનું સૌપ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ ટેક્સ, ઓટોમેટિક ટોલ કપાશે 
Barrier-Free Toll Plaza: સુરતમાં શરુ થયું દેશનું સૌપ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ ટેક્સ, ઓટોમેટિક ટોલ કપાશે 
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
Surat Elections Results: સુરત મહાનગરપાલિકામાં ભાજપની સદી, 115 બેઠકો જીતી, AAPનો સફાયો  
Surat Elections Results: સુરત મહાનગરપાલિકામાં ભાજપની સદી, 115 બેઠકો જીતી, AAPનો સફાયો  
Election 2026 Results: સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર
Election 2026 Results: સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget