![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rahul Gandhi Defamation Case: સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર, બે વર્ષની સજા
Surat News: 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોરના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી.
![Rahul Gandhi Defamation Case: સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર, બે વર્ષની સજા Rahul Gandhi Convicted 2019 Defamation Case Over Modi Surname Remark Rahul Gandhi Defamation Case: સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર, બે વર્ષની સજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/23/a3f9fb0a15cbbdfdccb146d232d81956167954973677476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થયા, કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા. માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. રાહુલ ગાંધી સાથે કે.સી.વેણુગોપલ પણ સુરત કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરિટ પાનવાલા પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનારા ભાજપ નેતા પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.
10 હજારના બોન્ડ પર જામીન
સજા જાહેર થયા બાદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા.
સાંસદ તરીકેનું સભ્યપદ થઈ શકે છે રદ્દ
રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ્દ થઈ શકે છે. રાહુલ ગાંધીને દોષિત અને સજા જાહેર કરાતાં ગુજરાત કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.
Gujarat | Surat District Court holds Congress MP Rahul Gandhi guilty in the criminal defamation case filed against him over his alleged 'Modi surname' remark. pic.twitter.com/VXdrvFAjyK
— ANI (@ANI) March 23, 2023
શું છે મામલો
આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોરના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
અમિત ચાવડાએ શું કહ્યું
માનહાનીના કેસમાં આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું, ન્યાય પાલિકા પર વિશ્વાસ છે,તરફેણમાં ચુકાદો આવશે. મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા, રાહુલ ગાંધી નવા અંગ્રેજો સામે લડી રહ્યા છે. ખોટા કેસ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં ઉમટ્યાં કોંગ્રેસના નેતાઓ
રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)