શોધખોળ કરો

Rain: તાપી નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, જળસ્તર વધતાં તંત્રએ કાંઠા વિસ્તારને કર્યું બેરિકેડ, ઓવારા કિનારે પોલીસ તૈનાત

Rain News: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે

Rain News: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને મધ્ય તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદથી તબાહી મચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 16 ઇંચ નોંધાયા છે, આ ઉપરાંત ડાંગ-આહવા અને કપરાડામાં 11-11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદીના જળપ્રવાહમાં ભારે વધારો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર ખુબ વધ્યુ છે. ખાસ વાત છે કે, સતત વરસાદના પાણીની આવકથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નાવડી ઓવારા કિનારે પાણી ભરાયુ છે. સુરત મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે ઓવારાને બેરીકેટ કર્યુ છે. ઓવારા કિનારે પોલીસ અને મનપાની ટીમ તૈનાત રાખવામાં આવી છે. નાવડી ઓવારા, નદીકાંઠે ના જવા સુરત મનપાની લોકોને અપીલ છે. તાપી નદી પરના કૉઝવેની જળસપાટી ભયજનક સપાટીને પાર પહોંચી છે. 

હાલમાં ઉકાઈ ડેમમાંથી બે લાખ 47 હજાર ક્યૂસેક પાણી છોડાયુ છે, સુરત શહેર અને જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસે તેવી શક્યતા છે. અડાજણ રેવા નગર વિસ્તારમાંથી સ્થળાંતર કરાયુ છે. બદ્રી નારાયણ મંદિર પાસેના સ્થાનિકોનું સ્થળાંતર કરાઇ રહ્યું છે. સ્થાનિકોને મહાદેવનગરની પ્રાથમિક શાળામાં શરણ અપાઇ છે.

આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દીવમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના ડેમની શું છે સ્થિતિ

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

Gujarat Rain Forecast: ગુજરાતના આ 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Embed widget