શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
સુરતમાં સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવા કોર્પોરેશને દુકાનદારોને કરી અપીલ, જાણો વિગત
કોર્પોરેશન દ્વારા આવતી કાલથી 17મી જુલાઇથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક બંધ રાખવા માટે દુકાનદારોને અપીલ કરવામાં આવી છે.
સુરતઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવા માટે દુકાનદારોને અપીલ કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ લાઉડ સ્પીકરમાં બોલી સાત દિવસ સુધી દુકાન બંધ રાખવા માટે અપીલ કરી રહ્યા છે. આ અપીલનો પાંડેસરા વિસ્તારમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.
સુરત કોર્પોરેશન દ્વારા દૂધ, અનાજ અને કરિયાણાની દુકાનો બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા માટે અપીલ કરી છે. કોર્પોરેશન દ્વારા આવતી કાલથી 17મી જુલાઇથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક બંધ રાખવા માટે દુકાનદારોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાંદેર-અડાજણ વિસ્તારમાં દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી રહી છે.
કોરોનાનાં કેસ વધતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી છે. કોરોનાને ડામવા માટે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. નોંધનીય છે કે, અગાઉ સુરતના અલગ અલગ ટેક્સ ટાઇલ માર્કેટ દ્વારા પણ સ્વૈચ્છિક રીતે જ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion