શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતા કયું મોટું માર્કેટ સાંજે 7 વાગ્યા પછી બંધ રાખવાનો સુરત કોર્પોરેશને લીધો નિર્ણય?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનું સૌથી મોટું ચૌટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીથી સુરતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનું સૌથી મોટું ચૌટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.
ચૌટા બજારમાં સંક્રમણ વધે નહીં તે માટે કામગીરી કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં 12 પોઝિટિવ કેસ મળી આવ્યા તે પૈકીના મોટાભાગના ચૌટા બજારના હોવાનું બહાર આવ્યું છે. ચૌટા બજારમાં સોસિયલ ડિસ્ટન્ટ અને માસ્ક પહેરવાના નિયમોનું કડક પાલન કરવા પાલિકા કમિશ્નરે આદેશ આપ્યા છે. સાંજે 7 વાગ્યા બાદ કોઈ વ્યક્તિ નજર આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion