શોધખોળ કરો

Surat : કોર્પોરેશને 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને કેવું બોર્ડ લગાવવા કર્યું ફરમાન?

સુરતમાં 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને આવતી કાલથી 7 એપ્રીલ સુધીમાં ફરજિયાત કોરોનાની રસી લેવાની રહેશે એટલું જ નહીં, રસીનો પહેલો ડોઝ લીધાનું બોર્ડ પણ દુકાન બહાર લગાવવું પડશે.

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. અત્યારે રાજ્યમાં સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે અને કોરોનાને કાબૂમાં લેવા માટે વિવિધ પગલા ભરી રહ્યું છે. સુરતમાં 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને આવતી કાલથી 7 એપ્રીલ સુધીમાં ફરજિયાત કોરોનાની રસી લેવાની રહેશે એટલું જ નહીં, રસીનો પહેલો ડોઝ લીધાનું બોર્ડ પણ દુકાન બહાર લગાવવું પડશે.

 

શહેરમાં હાલમાં કોવિડ કેસીઝ વધતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ખાસ કામગીરી અને કોવિડ SOP અંગેના નવા નિર્ણયો/સૂચનોની માહિતી.
સુરત મહાનગરપાલિકાનું મિશન #CoronaKoHarana #CovidFreeSurat #askamask pic.twitter.com/Bd1jwpn104

— My Surat (@MySuratMySMC) March 31, 2021

">

હવે સુરત કોર્પોરેશને વધુ એક ફરમાન કર્યું છે. શહેરમાં આવેલ વિવિધ પ્રકારની દુકાનો, કરીયાણા, મોલ, મલ્ટીપ્લેક્ષ, ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ, ડાયમંડ યુનિટ અને અન્ય વ્યવસાય ક્ષેત્રમાં કામ કરતાં કારીગરો-માલિકો વગેરે પૈકી જેઓ 45 વર્ષથી ઉપરની વયના હોય તેવા તમામ લોકોએ પહેલી એપ્રીલથી 7 એપ્રીલ સુધીમાં વેક્સીન લેવાની કામગીરી ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે અને વેક્સીન લીધા બાદ તેઓએ ફર્સ્ટ વેક્સીન લીધેલ છે. એટલું જ નહીં આ બાબતના બોર્ડ બનાવી ફરજિયાત દુકાનની બહાર પ્રદર્શિત કરે, જેથી તેનો પ્રચાર-પ્રસાર થાય અને અન્ય લોકો પણ વેક્સીન લેવા માટે બહોળી સંખ્યામાં જોતરાય. 


Surat : કોર્પોરેશને 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને કેવું બોર્ડ લગાવવા કર્યું ફરમાન?

ગુજરાતમાં (Gujarat Corona Cases) છેલ્લા થોડા દિવસોથી કોરોનાએ (Coronavirus) રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ-ચાર દિવસથી રોજના 2200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં પણ બે મોટા શહેરો અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ફરીથી ચિંતાજનક છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે.  

 

4 કરતાં વધુ વ્યક્તિ નહીં ભેગા થઈ શકે

 

ડાયમંડ નગરી (Diamond City) સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલીસ કમિશનરે (Surat Police Commissioner)  જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પોલીસ કમિશનરે  4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે.

 

કોને લાગુ નહીં પડે આ નિયમ

 

જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

 

સુરતમાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ

 

સુરતમાં સતત ચોજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 2400થી વધારે નવા કેસ નોંધાયા છે.  

 

સોમવાર, 29 માર્ચે 603

 

રવિવાર, 28 માર્ચે 6011

 

શનિવાર, 27 માર્ચે 607

 

શુક્રવાર, 26 માર્ચે 609

 

ગુરુવાર, 25 માર્ચે, 501

 

બુધવાર, 24 માર્ચે 480

 

મંગળવાર, 23 માર્ચે 476

 

સોમવાર, 22 માર્ચે 429

 

રવિવાર, 21 માર્ચે 405

 

શનિવાર, 20 માર્ચે 381

 

સુરતમાં કોરોનાથી એક હજારથી વધુના મૃત્યુ

 

સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે એક હજારને પાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનો આંક 3 લાખને પાર થયો છે. ગુજરાત દેશનું એવું 12મું રાજ્ય છે જ્યાં કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget